ETV Bharat / state

ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં પૂનમ નિમિતે ભક્તોએ જગદંબાના દર્શન કર્યા

author img

By

Published : Sep 2, 2020, 9:00 PM IST

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં ભક્તોએ કર્યા દર્શન
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં ભક્તોએ કર્યા દર્શન

સાબરકાંઠાના મીની અંબાજી મંદિરમાં બુધવારના રોજ પુનમ નિમિત્તે સ્થાનિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારીને પગલે સેનેટાઈઝર, માસ્ક સહિતની પૂરી તૈયારીઓ સાથે ભક્તજનોને મંદિરમાં પ્રવેશ અપાયો હતો.

સાબરકાંઠાઃ જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી મંદિર ખાતે બુધવારે વહેલી સવારથી જ ભક્તો જગત જનની મા જગદંબાના દર્શનાર્થે ઉપસ્થિત થયા હતા. એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ મા જગદંબાના બુધવારે દર્શન કરવા તે અતિ પુણ્યશાળી માનવામાં આવે છે. ત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે દર વર્ષની જેમ મોટા સંઘો, તેમજ સ્થાનિક અને નિયમિત આવતા રહેલા ભક્તજનોને પહેલેથી જ પ્રતિબંધ મૂકાતા તે આવી શક્યા ન હતા.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં ભક્તોએ કર્યા દર્શન
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં ભક્તોએ કર્યા દર્શન

જો કે, સ્થાનિક ભક્તજનોને માસ્ક તેમજ સામાજિક અંતર જાળવી જગત જનની માં જગદંબાના દર્શન કરવાની છૂટ અપાતા બુધવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તજનો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સામાન્ય રીતે મંદિરોમાં ભક્તજનોમાં સામાજિક અંતર જવાતું નથી, તેવું જ ખેડબ્રહ્મા મંદિર ખાતે પણ જોવા મળ્યું હતું. જ્યાં સામાજિક અંતર જાળવી શકાયું ન હતું.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં ભક્તોએ કર્યા દર્શન
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં ભક્તોએ કર્યા દર્શન

પરંતુ મોટાભાગના તમામ ભક્તજનો માસ્ક સાથે આવ્યા હતા, જે કોરોના મહામારીમાં ઈચ્છનીય પગલું ગણી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.