ETV Bharat / state

હિંમતનગરમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા રોડ કરાયો સેનિટાઇઝ

author img

By

Published : Apr 3, 2020, 10:20 PM IST

three
three

હિંમતનગર જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે જિલ્લા કલેક્ટર કચેરીથી ફોગિંગની શરૂઆત કરાઈ હતી.

હિંમતનગર :જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણના અટકાવ અને લોકજાગૃતિ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે વધુ અવર-જવર રહેતી નગરપાલિકા દ્વારા સેનિટાઇઝેશન કરવાની કામગીરી હાથ ધરવમાં આવી હતી.

જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર સ્થિત કલેકટર કચેરી ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ અને અન્ય સેવાભવી સંસ્થાઓના આગેવાનો અને મુલાકાતીઓની અવર-જવર હોય છે ત્યારે સંકમણની શક્યતા વધી શકે તેને લઇ સ્વચ્છતા અને જંતુનાશક દવાઓને છંટકાવ જરૂરી બની જાય છે. ત્યારે હિંમતતનગર નગરપાલિકા દ્વારા કલેકટરની ચેમ્બર અને અન્ય કચેરીઓમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પંચાલ મયુરભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ફોગીગ મશીનથી જિલ્લાની અન્ય કચેરીઓને પણ સ્વખર્ચે સેનિટાઇઝેશન કરવાનું કામ કરી રહ્યા છે તેમની આ સેવાને કલેકટર એ બિરાદાવી હતી .

જોકે આગામી સમયમાં જિલ્લાના દરેક ગામ સહિત જિલ્લાભરમાં ફોગીગ થાય તે જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.