ETV Bharat / state

સૌરાષ્ટ્રના એક માત્ર કેન્દ્ર રાજકોટમાં 2 જૂને યોજાશે UPSCની પરીક્ષા

author img

By

Published : May 24, 2019, 3:00 PM IST

પ્રતિકાત્મક ફોટો

રાજકોટઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCની પરીક્ષા આગામી 2 જૂને યોજાનાર છે. રાજ્યમાં UPSCની પરીક્ષા યોજવા માટેના માત્ર બે જ સેન્ટર છે. એક અમદાવાદ અને બીજુ રાજકોટ, ત્યારે આગામી 2 જૂનના રોજ રાજકોટમાં યોજાનાર યુપીએસસીની પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે.

સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કલાસ 1 અને કલાસ 2 ની પોસ્ટ પર ડાયરેક્ટ ભરતી કરવા માટે UPSC દ્વારા પરીક્ષા યોજવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ કઠિન હોય છે. ત્યારે ગુજરાતમાં આગામી 2 જુના રોજ UPSCની પરીક્ષા યોજવાની છે. જેમાં પણ સૌરાષ્ટ્રના એક માત્ર સેન્ટર એવા રાજકોટ ખાતે આ પરીક્ષા યોજવાની છે. ત્યારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન સર્જાય તેમજ પરિક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

2 જૂનના રોજ સૌરાષ્ટ્ર ભરમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે રાજકોટ ખાતે આવી પહોચશે. રાજકોટમાં કુલ અલગ અલગ 13 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની છે. ત્યારે સૌરાષ્ટ્રના 3 હજાર કરતા પણ વધારે ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે. બીજી તરફ પોલીસ કમિશ્નર દ્વારા પણ જાહેરનામું પાડીને 2 જૂનના રોજ સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી શહેરમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના એક માત્ર કેન્દ્ર રાજકોટમાં 2જૂને યોજાશે યુપીએસસીની પરીક્ષા

રાજકોટઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલેકે UPSCની પરીક્ષા આગામી 2 જૂને યોજાનાર છે. રાજ્યમાં UPSCની પરીક્ષા યોજવા માટેના માત્ર બે જ સેન્ટર છે એક અમદાવાદ અને બીજું રાજકોટ, ત્યારે આગામી 2 જૂનના રાજકોટ રાજકોટમાં યોજાનાર યુપીએસસીની પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે.

સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કલાસ 1 અને કલાસ 2ની પોસ્ટ પર ડાયરેક્ટ ભરતી કરવા માટે UPSC દ્વારા પરીક્ષા યોજવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ કઠિન હોય છે. ત્યારે ગુજરાતમાં આગામી 2 જુના રોજ UPSCની પરીક્ષા યોજવાની છે. જેમાં પણ સૌરાષ્ટ્રના એક માત્ર સેન્ટર એવા રાજકોટ ખાતે આ પરીક્ષા યોજવાની છે. ત્યારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન સર્જાય તેમજ પરિક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2 જૂનના રોજ સૌરાષ્ટ્ર ભરમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે રાજકોટ ખાતે આવી પહોચશે. રાજકોટમાં કુલ અલગ અલગ 13 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની છે. ત્યારે સૌરાષ્ટ્રના 3 હજાર કરતા પણ વધારે ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે.બીજી તરફ પોલીસ કમિશ્નર દ્વારા પણ જાહેરનામું પાડીને 2 જૂનના રોજ સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી શહેરમાં 144ની કલમ લાગુ કરવામમાં આવી છે.

નોંધઃ સ્ટોરીને અનુરૂપ પ્રતીકાત્મક ઇમેજ મોકલાવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.