ETV Bharat / state

Rajkot News :પીજીવીસીએલ 3600 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રભરમાં સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર લગાવશે, જાણો શું થશે લાભ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 9:07 PM IST

સૌરાષ્ટ્રમાં વ્યાપકપણે વીજ ચોરી પર અંકૂશ લાવવા મહત્ત્વની યોજના બનાવવામાં આવી છે. જે હેઠળ સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર લગાવવાની પીજીવીસીએલ તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે.ડિસેમ્બરથી અલગ અલગ બે તબક્કામાં આ કામગીરી સંપન્ન કરવામાં આવશે.

Rajkot News :પીજીવીસીએલ 3600 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રભરમાં સ્માર્ટ પ્રી પેઇડ મીટર લગાવશે, જાણો શું થશે લાભ
Rajkot News Rajkot News :પીજીવીસીએલ 3600 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રભરમાં સ્માર્ટ પ્રી પેઇડ મીટર લગાવશે, જાણો શું થશે લાભ

બે તબક્કામાં આ કામગીરી

રાજકોટ : પીજીવીસીએલ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના અલગ અલગ જિલ્લાઓમાં આગામી દિવસોમાં સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર લગાવવામાં આવશે. આ કામગીરી ડિસેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા અલગ અલગ બે તબક્કામાં આ કામગીરી કરવામાં આવશે. જેમાં 55 લાખ કરતાં વધુ ઘરોમાં, સરકારી કચેરીઓ અને કારખાનાઓમાં આ પ્રી પેઇડ વીજ મીટર લગાવવામાં આવશે.

3600 કરોડ રૂપિયાનો ખર્ચ પ્રી પેઇડ વીજ મીટર લગાવવા માટેની તૈયારીઓ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી છે. આ પ્રી પેઇડ વીજ મીટર માટે અંદાજિત 3600 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થાય તેવી શક્યતાઓ છે. જોકે એકવાર સ્માર્ટ પ્રીપેડ મીટર લાગ્યા બાદ વીજગ્રાહકોને ઘણી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેવો પીજીવીસીએલનો દાવો છે.

દૈનિક વીજ વપરાશ મોબાઇલમાં જોઈ શકાશે : સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર અંગે વધુ માહિતી આપતા પીજીવીસીએલના મુખ્ય એન્જિનિયર એવા આર.જે વાળાએ જણાવ્યું હતું કે સ્માર્ટ પ્રીપેડ મીટરએ સામાન્ય મીટર જેવા જ છે. જ્યારે તેમાં કોમ્યુનિકેશન માટેનું એક ડિવાઇસ લગાડવામાં આવ્યું હોય છે. જેવી રીતે એક મોબાઇલ વિસ્તારમાં લાગેલા ટાવર સાથે કનેકટ થઈને આપણને તમામ ઇન્ફર્મેશન આપે છે. તેવી રીતે આ કામ કરશે.

આ સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટરમાં એક સીમકાર્ડ હોય છે કે જીપીઆરએસ સિસ્ટમ વડે અમારી સાથે જોડાશે, એટલે કે ગ્રાહકોના મીટરમાં જે પણ કઈ ડેટા ભેગો થશે તે PGVCLની ઓફિસમાં મળી રહેશે. જ્યારે આ બધા સ્માર્ટ મીટર પ્રીપેડ ઝોનમાં કામ કરશે અને તેમજ તેમાં કોમ્યુનિકેટ થઈ શકશે. આગામી ડિસેમ્બરથી અમે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરીશું...આર.જે વાળા (મુખ્ય એન્જિનિયર, પીજીવીસીએલ )

ગ્રાહકોને બિલ ભરવામાંથી મળશે મુક્તિ : સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટરથી ગ્રાહકોને પણ ચોક્કસ ફાયદો થશે. હાલમાં ગ્રાહકોની ઘણી બધી નાની મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે આ મામલે મુખ્ય એન્જિનિયરે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ગ્રાહકોને ઘણી બધી સમસ્યા છે જેવી કે પ્રોપર બિલ બન્યું નથી, ઘરે કોઈ મીટર રીડિંગ લેવા માટે આવ્યું નથી, બિલ ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભો રહેવું પડે છે ત્યારે આ તમામ નાની મોટી સમસ્યાઓ છે તે સ્માર્ટ પ્રીપેડ મીટર આવવાના કારણે દૂર થઈ જશે. સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટરની મુખ્ય વિશેષતા એ છે કે ગ્રાહક પોતાનું બિલ પોતાના મોબાઈલમાં જોઈ શકશે એટલે કે એક એપ્લિકેશનના માધ્યમથી તેનું દરરોજનું કેટલું વપરાશ છે તે ચકાસી શકશે અને આગામી દિવસોમાં તેને કેટલો વપરાશ કરવો જોઈએ અને કેટલી બચત કરવી જોઈએ તે પણ થઈ શકશે.

તબક્કાવાર લગાવાશે સ્માર્ટ મીટર : સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર પ્રથમ તબક્કામાં તમામ સરકારી ઓફિસોમાં લગાવવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ રહેણાંક મકાનોમાં અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તેને લગાવવાની કામગીરી હાથ ધરાશે. જ્યારે ખેતીવાડી વિસ્તારોમાં સ્માર્ટ પ્રીપેડ મીટર હાલ પૂરતા લગાડવામાં આવશે નહીં. PGVCL દ્વારા અંદાજિત રૂ. 3600 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. જેમાં આવતા ડિસેમ્બરથી આ કામગીરી પૂરજોશથી પીજીવીસીએલની ટીમ દ્વારા શરૂ કરવામાં આવનાર છે.

સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર માટે ટ્રેનિંગ અપાશે : પીજીવીસીએલની ટીમના તમામ કર્મચારીઓને સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને સ્માર્ટ પ્રીપેડ મીટર કેવી રીતે કામ કરે છે તે અંગેની માહિતી પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં પીજીવીસીએલ દ્વારા મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડવામાં આવે છે. ત્યારે વીજ ચોરી ડામવા માટે હવે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. બીજી તરફ પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને આ મામલે હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાણ કરવામાં આવી નથી.

  1. 24 hours water in Rajkot : 24 કલાક પાણી મળશે, ઘરે ઘરે પાણી મીટર મુકાશે
  2. રાજકોટ મનપા દ્વારા 15 હજાર ઘરોમાં 24 કલાક પાણી મળે તેવા મીટર મુકવામાં આવ્યા
  3. વીજ ચોરી અટકાવવા સરકાર લાવી રહી છે નવી યોજના, જાણો શું છે આ યોજના
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.