ETV Bharat / state

રાજકોટમાં વધુ એક વોકળાનો સ્લેબ બેસી ગયો, લોકોમાં ગભરાટ તો મનપા તંત્રમાં દોડધામ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 8:01 PM IST

રાજકોટમાં વધુ એક વોકળાનો સ્લેબ બેસી ગયો
રાજકોટમાં વધુ એક વોકળાનો સ્લેબ બેસી ગયો

રાજકોટમાં જ્યુબેલી બાગ નજીક આવેલી શાક માર્કેટ પાસે આવેલા વોકળાનો સ્લેબ બેસી જતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે ઘટનાને પગલે મનપા અને ફાયર વિભાગના અધિકારીઓ પણ દોડતા થયાં છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં વધુ એક વોકળાનો સ્લેબ બેસી ગયો

રાજકોટ: ગણેશ મહોત્સવ દરમિયાન રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોકમાં વોકળા ઉપર બાંધેલો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને આ મામલે વધુ કાર્યવાહી થાય ત્યાં જ્યુબેલી બાગ નજીક આવેલી શાકમાર્કેટ પાસે આવેલા વોકળાનો સ્લેબ પણ બેસી જવાના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ વોકળા ઉપર દુકાનો સહિતના કામોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોકળાનો સ્લેબ બેસી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાની જાણ મનપાના તંત્ર અને ફાયર વિભાગને થતાં મનપા અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથીય

વોકળા પર વર્ષ 1995માં કરાયું છે બાંધકામ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જ્યુબેલી બાગ નજીક લોટરી બજાર આવેલી છે. આ લોટરી બજાર લોકોથી ધમધમતી હોય છે. અહીં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે વર્ષ 1995ની આસપાસ અહીંયા વોકળા ઉપર સ્લેબનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને દુકાનો સહિતની વસ્તુઓનું નિર્માણ કરાયું હતું. ત્યારે આજે અચાનક એકથી બે દુકાનોમાં તળિયું નીચે બેસી ગયું હતું. જ્યારે આ દુકાનો વોકળા ઉપર હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. આ પ્રકારની ઘટના બનતા મનપા તંત્ર થતા ફાયર વિભાગનો સ્ટાફ બનવ સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી.

અધિકારીઓનું તારણ: જ્યારે ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ચેતન નંદાણીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દુકાન જર્જરિત નથી પરંતુ દુકાનમાં રહેલ સ્લેબને થોડું ઘણું નુકસાન થયું છે. જેને લઈને સ્ટ્રક્ચર એન્જિનિયરને અમે બોલાવી રહ્યા છીએ. હાલ એકમાત્ર દુકાનમાં આ પ્રકારની ઘટના બની છે, જેને લઇને અન્ય દુકાનમાં આ પ્રકારની ઘટના સામે આવી છે કે કેમ તે મામલે મનપાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.

આ અગાઉ પણ બની હતી આવી ઘટના: ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળા પર બનાવવામાં આવેલો વર્ષો જૂનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના કારણે અંદાજિત 25 જેટલા લોકોને ઈજા થઈ હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આ પ્રકારની ઘટનાના ફરી ન સર્જાય તે માટે મનપાની ટીમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

  1. રાજકોટમાં ભાજપના કોર્પોરેટર આકરા પાણીએ, રોડના બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
  2. Rajkot Municipal Corporation : રાજકોટમાં મનપામાં અધિકારીઓની ભરતી પહેલા જ સર્જાયો વિવાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.