ETV Bharat / state

IMA ડૉક્ટરની દેશભરમાં હડતાળ, રાજકોટના 1800 ડૉક્ટર જોડાયા

author img

By

Published : Dec 11, 2020, 1:34 PM IST

IMA ડૉક્ટરની દેશભરમાં હડતાળ, રાજકોટના 1800 ડૉક્ટર જોડાયા
IMA ડૉક્ટરની દેશભરમાં હડતાળ, રાજકોટના 1800 ડૉક્ટર જોડાયા

CCIM દ્વારા તાજેતરમાં આયુર્વેદિક ડૉક્ટરને 58 પ્રકારના ઓપરેશન માટેની મંજૂરી આપાય છે. જેનો ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે આ વિરોધના ભાગરૂપે IMA દ્વારા એક દિવસની હડતાળ કરવામાં આવી છે.

  • આયુર્વેદિક ડૉક્ટરને 58 પ્રકારના ઓપરેશન માટેની મંજૂરી
  • ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા વિરોધ
  • IMA ડૉક્ટરની દેશભરમાં હડતાળ

રાજકોટઃ CCIM દ્વારા તાજેતરમાં આયુર્વેદિક ડૉક્ટરને 58 પ્રકારના ઓપરેશન માટેની મંજૂરી આપી છે. જેનો ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે આજે વિરોધના ભાગરૂપે IMA દ્વારા એક દિવસની હડતાળ કરવામાં આવી છે. જેને રાજકોટમાં ડૉક્ટરો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. આ અંગે રાજકોટ IMA પ્રેસિડેન્ટ ડૉ. જય ધીરવાણીએ ETV ભારત સાથે વાતચીત કરી હતી.

દેશના 3 લાખથી વધુ ડૉક્ટર હડતાળમાં જોડાયા

IAM દ્વારા યોજવામાં આવેલી દેશવ્યાપી હડતાળમાં રાજકોટના 1800 કરતા વધુ, રાજ્યના 25 હજાર કરતા વધુ અને સમગ્ર દેશના 3 લાખ કરતા પણ વધુ ડૉક્ટરો આ હડતાળમાં જોડાયા છે. જો કે આ હડતાળ દરમિયાન ડૉક્ટરોએ કોવિડ સેવાઓ અને ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ કામગીરી બંધ રાખીને CCIMના આયુર્વેદિક ડૉક્ટર દ્વારા સર્જરીના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. જ્યારે એલોપેથિના ડૉક્ટરો સામે આયુર્વેદિક ડૉક્ટર અંગેનો નિર્ણયને યોગ્ય ન હોવાનું પણ જણાવ્યું છે.

IMA ડૉક્ટરની દેશભરમાં હડતાળ, રાજકોટના 1800 ડૉક્ટર જોડાયા

શુ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટરોની માંગ

ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના ડૉક્ટરોની મુખ્ય માગ છે કે CCIM દ્વારા નોટિફિકેશન બહાર પાડીને આયુર્વેદના ડૉક્ટરને સર્જરી કરવાની છૂટ આપવામાં આવી છે. જે નોટિફિકેશન પાછું ખેચવામાં આવે અને તેમજ આયુષ મંત્રાલય દ્વારા ચાર અલગ અલગ કમિટી બનાવમાં આવી છે. સમગ્ર મેડિકલ એજ્યુકેશન, રિસર્ચ અને સાયન્સનું એકીકરણ કરવા માટેની તે ચારેય કમિટીને વિખેરી નાખવામાં આવે તેવી માંગણી છે.

આયુર્વેદનું કદ વધારવા માટે એલોપેથિના ખભે બેસાડવામાં આવી

IMA રાજકોટ પ્રેસિડેન્ટ ડૉ. જયે વધુમાં જણાવ્યું હતું કે, આયુર્વેદનું અમને માન છે અને અમે એવી ઇચ્છીએ છીએ કે, તેનો દેશમાં પણ તેનો વિકાસ થાય જ્યારે એલોપેથી અને આયુર્વેદ વચ્ચે ભવિષ્યમાં તંદુરસ્ત હરીફાઈ યોજાય પરંતુ આ નિર્ણયને લઈને એવું લાગી રહ્યું છે કે, આયુર્વેદનું કદ વધારવા એલોપેથિને ખભે બેસાડવામાં આવ્યું છે. તે યોગ્ય નથી. આ નિર્ણયથી આયુર્વેદ અને એલોપેથી બન્ને ધરસાઈ થઈ જશે અને અલગ જ ખીચડી પ્રથાનો નિર્માણ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.