ETV Bharat / state

Rajkot Lok Mela 2023 : રાજકોટ લોકમેળામાં પાથરણાવાળા અને સ્ટોલ ધારકો વચ્ચે માથાકૂટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 10:50 AM IST

Updated : Sep 7, 2023, 12:15 PM IST

રાજકોટ લોકમેળામાં વિવિધ રાઈડ્સ સાથે ખાણીપીણી અને ચીજ-વસ્તુઓની ખરીદી કરવા પણ લોકો આવતા હોય છે. જેમાં સ્ટોલ ધારકો દ્વારા તંત્રને હરાજીમાં ભાડું ચૂકવી જગ્યા મેળવવામાં આવે છે. જ્યારે પાથરણાવાળા જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનો રોજગાર ઉભો કરે છે. ત્યારે ગતરોજ આ મામલે સ્ટોલ ધારકો અને પાથરણાવાળા વચ્ચે ભારે માથાકૂટ સર્જાઈ હતી. આખરે વહીવટી તંત્રએ મામલો શાંત પાડ્યો હતો.

Rajkot Lok Mela 2023
Rajkot Lok Mela 2023

રાજકોટ : રાજકોટના લોકમેળામાં બીજા દિવસે વિવિધ સ્ટોલ ધારકો અને પાથરણા વાળાઓ વચ્ચે માથાકૂટ સર્જાઇ હતી. જ્યારે વહીવટી તંત્ર દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો. લોકમેળાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. એમાં વિવિધ ખાણીપીણીના અને રમકડાના સ્ટોલ માટેની અરજી કરવામાં આવે છે. ત્યારે વેપારીઓ ઊંચી કિંમત આપીને સ્ટોલની ખરીદી કરતા હોય છે. પાથરણા વાળાઓ અચાનક અંદર આવીને અલગ અલગ વસ્તુઓ વેચતા હોય છે. જેના કારણે સ્ટોલ ધારકોને મોટી નુકશાની વેઠવી પડે છે. ત્યારે સ્ટોલ ધારકો અને પાથરણા વાળા વચ્ચે બબાલ સર્જાઈ હતી.

પાથરણાવાળા
પાથરણાવાળા

શું હતો મામલો ? લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસ માટે મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા માટે આવતા હોય છે. એવામાં અહીંયા મોટા પ્રમાણમાં લોકોને રોજગારી પણ પ્રાપ્ત થતી હોય છે. ત્યારે સ્ટોલ ધારકો દ્વારા અહીંયા હરાજીમાં ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ લેવામાં આવતા હોય છે. બીજી તરફ પાથરણાવાળાઓ મેળામાં જ્યાં જગ્યા મળે ત્યાં પોતાની રોજગારી ઉભી કરતા હોય છે. તેઓ પાથરણા પાથરીને અલગ અલગ વસ્તુઓની વહેંચણી કરી અને રોજગારી મેળવતા હોય છે.

સ્ટોલ ધારકોનો વિરોધ
સ્ટોલ ધારકોનો વિરોધ

સ્ટોલ ધારકોનો વિરોધ : લોકમેળાના બીજા દિવસે પાથરણા વાળાઓ અને સ્ટોલ ધારકો વચ્ચે બબાલ સર્જાઈ હતી. જે મામલે સ્ટોલ ધારકો દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા પાથરણા વાળાઓને દૂર ખસેડવામાં આવ્યા હતા અને કાર્યવાહી કરાવી હતી. આ મામલે લોકમેળા સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ પ્રકારની માથાકૂટ જોવા મળતી હોય છે.

તંત્રની કામગીરી : આ વખતે પણ પાથરણાં વાળાઓને અગાઉ જ તંત્ર દ્વારા લોકમેળામાં આવવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં પણ તેઓ પોતાની વસ્તુઓ લઈને લોકમેળાની અંદર પ્રવેશે છે. ત્યારબાદ અહીંયા વેચાણ કરતા હોય છે. જેના કારણે સ્ટોલ ધારકોને મુશ્કેલી સર્જાતી હોય છે. ત્યારે આ વખતે સ્ટોલ ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા પાથરણાવાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.

  1. Rajkot Lok Mela 2023 : રાજકોટ લોક મેળામાં ફૂડ વિભાગના દરોડા, અખાદ્ય વસ્તુઓનો જથ્થો મળી આવ્યો
  2. Rajkot Lok Mela 2023: રંગીલા રાજકોટમાં લોકમેળાનું ઉદ્ઘાટન, જુઓ મેળાના અવકાશી દ્રશ્યો
Last Updated :Sep 7, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.