જસદણમાં સાઈકલ ગૃપ દ્વારા દર રવિવારે સાઈકલયાત્રા યોજવામાં આવે છે. આ સાઈકલયાત્રાની શરૂઆત 3 મિત્રોએ દોઢ વર્ષ પહેલા કરી હતી. હાલ, આ યાત્રામાં 15થી 17 સભ્યો છે. જેઓ દર રવિવારે સાઈકલયાત્રામાં જોડાય છે.
સોમવારથી શનિવાર દરરોજ સવારે 25 કિલોમીટર અને દર રવિવારે 50 કિલોમીટરની સાઈકલયાત્રા કરે છે. આ સફરમાં આવતી ધાર્મિક સંસ્થા કે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર પહોંચી સોશિયલ એક્ટવીટી કરે છે. આ રવિવારે ઘેલા સોમનાથ મહાદેવના મંદિર સુધી સાઈકલ રાઈડર્સ યોજાઈ હતી. જેમાં દિનેશભાઇ, રાજુભાઈ, મેહુલભાઈ અને યોગેશભાઈ સહિત ગૃપના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.