ETV Bharat / state

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે આવશે ગુજરાત, માધવપુર-ઘેડના લોકમેળાનો કરાવશે પ્રારંભ

author img

By

Published : Apr 6, 2022, 9:00 AM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે આવશે ગુજરાત, માધવપુર-ઘેડના લોકમેળાનો કરાવશે પ્રારંભ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે આવશે ગુજરાત, માધવપુર-ઘેડના લોકમેળાનો કરાવશે પ્રારંભ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે ફરી એક વાર ગુજરાત પ્રવાસે (President Ramnath Kovind Gujarat Visit) આવશે. આ વખતે તેઓ પોરબંદર જિલ્લામાં માધવપુર ઘેડના લોકમેળાના ગૌરવપૂર્ણ કાર્યક્રમોનો શુભારંભ (Porbandar Madhavpur Fair 2022) કરાવશે.

પોરબંદરઃ જિલ્લામાં માધવપુર ઘેડના લોકમેળાના ગૌરવપૂર્ણ કાર્યક્રમો યોજાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે આ કાર્યક્રમોનો શુભારંભ (President Ramnath Kovind Gujarat Visit) કરાવશે. તો આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ ઉત્તરપૂર્વ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યપ્રધાનો સહિતના મહાનુભાવો (Porbandar Madhavpur Fair 2022) ઉપસ્થિત રહેશે.

10 એપ્રિલથી શરૂ થશે લોકમેળો
10 એપ્રિલથી શરૂ થશે લોકમેળો

આ પણ વાંચો- Gujarat Cabinet Meeting: 15 દિવસમાં બજેટના નાણા રિલીઝ કરવા સૂચના, માલધારી સમાજ સાથે CM કરશે બેઠક

કલેક્ટરે આપી માહિતી - સૈારાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદર નજીક માધવપુર ખાતે વર્ષોથી યોજાતા ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે પરંપરાગત મેળો યોજાય છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એક ભારત, શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું (Porbandar Madhavpur Fair 2022) આયોજન થશે. અહીં રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતી કૃતિઓ/મલ્ટીમીડિયા શૉ, આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉદ્યમીઓના સ્ટોલ સહિત રાજ્ય તથા દેશના પ્રવાસન વિકાસના ધ્યેય સાથે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind Gujarat Visit) ઉપસ્થિત રહેશે.

અધિકારીઓની યોજાઈ બેઠક
અધિકારીઓની યોજાઈ બેઠક

10 એપ્રિલથી શરૂ થશે લોકમેળો - રામનવમીને 10 એપ્રિલથી એપ્રિલથી 5 દિવસ માટે માઘવપુર ઘેડ ખાતે યોજાનારા માધવપુર મેળા (Porbandar Madhavpur Fair 2022) સંદર્ભે જિલ્લા કલેકટર અશોક શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી. જિલ્લા કલેક્ટર અશોક શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, 10 એપ્રિલથી 14 એપ્રિલ સુઘી ગુજરાત સરકારે માધવપુર ખાતે ભવ્ય લોકમેળાનું (Porbandar Madhavpur Fair 2022) આયોજન કર્યું છે.

અધિકારીઓની યોજાઈ બેઠક
અધિકારીઓની યોજાઈ બેઠક

આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત - 10 એપિલે રાષ્ટપતિ રામનાથ કોવિંદ માધવપુર ખાતે લોકમેળાના (Porbandar Madhavpur Fair 2022) ગૌરવપૂર્ણ કાર્યક્રમોનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે ગુજરાતના રાજયપાલ તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય રાજયોના મહાનુભાવો, પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. પૂર્વોત્તર રાજયોના મુખ્યપ્રધાનો પણ અહીં ઉપસ્થિત રહેશે. 4 દિવસીય ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીના પ્રસંગોને અનુરૂપ કલાકારો પોતાની કલા રજૂ કરશે.

આ પણ વાંચો- President Address Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ ઉમાશંકર જોશીની પંક્તિ ગુજરાતીમાં બોલ્યા

મહાનુભાવો માટેની વ્યવસ્થા - મહાનુભાવોના આગમન માટે પાંચ હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પલીસ બંદોબસ્ત તથા વહીવટી કામગીરીની સરળતા માટે જૂદી જૂદી કમિટીની રચના કરીને અધિકારીઓને કામગીરીની ફાળવણી પણ કરવામાં આવી છે. માધવપુર મેળા (Porbandar Madhavpur Fair 2022) સંદર્ભે જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડાએ પણ માધવપુર મેળા અંગે વિગતો આપી હતી.

અધિકારીઓની યોજાઈ બેઠક - આ ઉપરાંત માધવપુર મેળા સંદર્ભે જિલ્લા કલેક્ટર અશોક શર્મા અધિકારીઓ સાથે બેઠક યોજીને મેળા સંદર્ભે કામની સોંપણી અંતર્ગત કરાયેલા કામો તથા બાકી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક કલેક્ટર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.