ETV Bharat / state

પોરબંદરના માધવપુરનો ભાતીગળ મેળાને રદ, માધવપુરના લોકોએ નિર્ણયને આવકાર્યો

author img

By

Published : Mar 18, 2020, 10:03 AM IST

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની કહેર યથાવત છે. ભારતમાં કોરોના વાયરસના કારણે 3 લોકોના મોત થયા છે. ત્યારે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. સ્કૂલ, મોલ, પણ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવી છે. તેમજ અનેક સેમીનાર મેળા, ઈવેન્ટ, તેમજ આઈપીએલ જેવી ટૂર્નામેન્ટ પણ સ્થગિત કરાઈ છે. ત્યારે પોરબંદરના માધવપુરમાં યોજાતો ભાતીગળ મેળાને રદ્દ કરવાના નિર્ણયને લોકોએ આવકાર્યો છે.

etv bharat
etv bharat

પોરબંદર: દેશભરમાં કોરોના વાયરસના કારણે ઠેરઠેર થતા લોકોના મેળાવડા અને કાર્યક્રમો તથા ધાર્મિક કાર્યક્રમો રદ્ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે દર વર્ષે પોરબંદર જિલ્લામાં આવેલ માધવપુરમાં માધવરાય અને રુકમણીના વિવાહ પ્રસંગે યોજાતા ભાતીગળ મેળામાં અનેક લોકો આવે છે. પરંતુ રાષ્ટ્રીય કક્ષાના મેળો જોવા મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. જેના કારણે કોરોના રોગ ફેલાવાની વધુ શક્યતાઓ રહેતી હોવાના લીધે સરકાર દ્વારા અહીં કોઈપણ સરકારી કાર્યક્રમનું આયોજન રદ કરવાના નિર્ણયની માધવપુરના લોકોએ આવકાર્યો છે.

માધવપુરનો ભાતીગળ મેળો રદ

જ્યાં મેળો ભરાય ત્યાં મોટી માત્રામાં આવક થશે તેઓ વેપારીઓ માનતા હોય છે. પરંતુ પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આગામી તારીખ 2 થી 6 એપ્રિલ સુધી યોજાનાર ભવ્યાતિભવ્ય મેળો હવે સાદાઈથી યોજાશે અને જેમાં ઓછામાં ઓછા લોકો આવે તેવો પ્રયાસ કરવામાં આવશે અને તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે.

માધવપુરના હર્ષદભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, વેપારીઓ માટે વેપાર મહત્વનો છે, તેના કરતાં પણ લોકોના જીવ મહત્વના છે. કોઈ મોટી તારાજી ન સર્જાય અને અનેક લોકોના જીવ બચે તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલું ભરવામાં આવ્યું છે.

આ નિર્ણયને માધવપુરવાસીઓએ આવકાર્યો છે. બીજી બાજુ માધવપુર યોજાતા મેળાની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય લેવલની એક ખાનગી કંપનીના માણસો સહિત મેળાના ડેકોરેશન માટે તથા ટેન્ટ પણ અહીં આવી ચૂક્યા હતા. સરકારના તમામ કાર્યક્રમ રદ્દ થવાના કારણે તમામ હોટલોમાં બુકિંગ પણ રદ કરવામાં આવી છે. કાર્યક્રમનો પણ મુલત્વી રાખવામાં આવતા ખાનગી કંપનીના ટ્રકો પરત ફરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.