ETV Bharat / state

કોરોના મહામારી બાદ મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાયા, યોગ બોર્ડ ચેરમેન

author img

By

Published : May 21, 2022, 8:22 PM IST

કોરોના મહામારી બાદ મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાયા, યોગ બોર્ડ ચેરમેન
કોરોના મહામારી બાદ મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાયા, યોગ બોર્ડ ચેરમેન

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં(Hemchandracharya North Gujarat University)ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા (Gujarat State Yoga Board)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ અંગેની ચર્ચા કરી કેટલાક યોગાસન કરી લોકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા પ્રોત્સાહન આપવા આવા કાર્યક્રમો કરવામાં આવે છે.

પાટણઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University)કન્વેન્શન હોલમાં યોગ પર ચર્ચા કાર્યક્રમનું આયોજન યોગ બોર્ડના (Gujarat State Yoga Board)ચેરમેન અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં યોગ બોર્ડના ચેરમેન યોગ અંગેની ચર્ચા કરી કેટલાક યોગાસન કરી લોકોને માહિતી પૂરી પાડી હતી ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ જાગરણ મહારેલી યોજી નાગરિકોને સ્વસ્થ જીવન શૈલી અને નિરોગી જીવનનો (Yoga at home)સંદેશો આપ્યો હતો.

યોગ

પાટણમાં યોગ પર ચર્ચા અને સંવાદ કાર્યક્રમ યોજાયો - દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગમય ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શનિવારે યોગ પર ચર્ચા કાર્યક્રમ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોગ બોર્ડના ચેરમેન અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ શહેર સહિત જિલ્લામાંથી યોગ ટ્રેનર અને યોગ શિક્ષકો ઉપરાંત આપતા યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યોગ બોર્ડના ચેરમેને યોગ અંગેની ચર્ચા કરી હતી અને પ્રશ્નોત્તરીના માધ્યમથી યોગ અંગેની સચોટ માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે કેટલાક યોગના આસનો કરી લોકોને યોગના ફાયદા અને તેની વિશેષતા અંગે જાણકારી આપી હતી. યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે બેઠાડું જીવન અને કસરતના અભાવે આજે રોગો વધ્યા છે. કોરોના મહામારી બાદ દેશ અને દુનિયાના લોકો મોટી સંખ્યામાં યોગમાં જોડાયા છે ફેફસાને મજબૂત કરવા માટે પ્રાણાયામ કપાલભાતિ અનુલોમ વિલોમ સૂર્ય નમસ્કાર અને થોડાક આસનોની પ્રક્રિયા ખૂબ જ લાભકારી છે.

આ પણ વાંચોઃ Health in Winter : જાણો શિયાળામાં કંઈ રીતે શરીરને તંદુરસ્ત રાખી શકાય

આદર્શ વિદ્યાલય અને યોગ વચ્ચે MOU થયા - યોગ પર ચર્ચા કાર્યક્રમ ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ યોગ બોર્ડના ચેરમેન અને યોગ જાગરણ મહારેલીને યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે થી ઠંડી આપીને પ્રસ્થાન કરાવી હતી આ રેલી રેલવે ફાટક પાલિકા બજાર થઈ શહેરના વિવિધ જાહેર માર્ગો પર ફરી ટીબી ત્રણ રસ્તા થઈ યોગ શિબિર ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર સુપ્રીતસિંગ ગુલાટીએ જિલ્લાના દરેક લોકોને યોગ શિબિરમાં સામેલ થઈ યોગને જિંદગીનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે આદર્શ વિદ્યાલય કોલેજ અને યોગ બોર્ડ વચ્ચે એમઓયુ પણ થયા હતા જેથી કોલેજ અને વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ યોગ સાથે જોડાશે.

આ પણ વાંચોઃ World Laughter Day 2022: હાસ્ય થકી જીવનને તંદુરસ્ત બનાવી રહ્યા છે જૂનાગઢના વયો વૃદ્ધ

શારીરિક અને માનસિક ક્ષમતા વધારવાનું કામ યોગ કરે - યોગ કોચ ગાયત્રી પ્રજાપતિએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રોગો વધ્યા છે. શારીરિક ક્ષમતા ન હોવાને કારણે લોકો નબળા પડતા જાય છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે તેના થકી શારીરિક અને માનસિક કઈ રીતે વધારી શકાય અને જીવનને સફળ બનાવવામાં યોગનું શું મહત્વ રહેલું છે તેની જાણકારી આપવામાં આવી છે જેનાથી લોકોને ઘણો જ ફાયદો થશે. રાજ્યમાં યોગની પ્રવૃત્તિઓને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા અને જન જન સુધી યોગના પ્રચાર કરવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે જિલ્લાના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા પ્રોત્સાહન આપવા આવા કાર્યક્રમો કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.