ETV Bharat / state

Corona Death Toll : કોરોનાના મૃત્યુ આંક છુપાવી રહી છે સરકાર : ડો. કિરીટ પટેલ

author img

By

Published : Jan 22, 2022, 2:58 PM IST

Corona Death Toll : કોરોનાના મૃત્યુ આંક છુપાવી રહી છે સરકાર : ડો. કિરીટ પટેલ
Corona Death Toll : કોરોનાના મૃત્યુ આંક છુપાવી રહી છે સરકાર : ડો. કિરીટ પટેલ

ગુજરાતમાં કોરોના મૃત્યુઆંક મામલે કોંગ્રેસે સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે કહ્યું કે સરકાર મૃત્યુના આંકડા (Corona Death Toll) છુપાવી પ્રજાને ઉલ્લુ બનાવી રહી છે. કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારજનોને આર્થીક સહાય આપવાનું કહ્યું છે." આ ઉપરાંત એમ પણ કહ્યું કે, જો સરકાર કોંગ્રેસની કેટલીક માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન ચીમકી પણ ઉચ્ચારી છે.

પાટણઃ ગુજરાતમાં કોરોના મૃત્યુઆંક મામલે ભાજપ સરકારે સુપ્રિમ કોર્ટમાં રજુ કરેલા આંકડા(Corona Death Toll) પરથી બેવડી અને સરકારી ચોપડે આંકડા છુપાવવાની નીતિ છતી થઇ છે. સરકારે મોતના આંકડા છુપાવી પ્રજા સાથે છેતરપીંડી કરી છે તેમ જણાવી પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે કોંગ્રેસની માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખથી વધુના મૃત્યુ થયા : ડૉ પટેલ

કોરોનાના મૃત્યુ આંક છુપાવી રહી છે સરકાર : ડો. કિરીટ પટેલ

ડૉ. કિરીટ પટેલે જણાવ્યુ કે, ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખથી વધુના મૃત્યુ (Death from Corona in Gujarat) થયા છે. કોંગ્રેસ દ્વારા આ તમામ મૃતકોના પરીવારજનોને 4 લાખ સહાય ચુકવવા માંગ કરી રહી છે, પરંતુ સરકાર સાચા આંકડા છુપાવી રહી છે. સુપ્રિમ કોર્ટમાં થયેલ રીટમાં ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી 68,370 કોરોના મૃત્યુ એપ્રુવ કર્યા છે. બીજા 24,000 કલેમ પ્રોસેસમાં છે. કુલ 89,633એ વળતર માટે અરજી કરેલ છે. WHOએ પણ ભારત અને ગુજરાતના કોવિડ મૃત્યુ આંક પર વિશ્વાસ નહીં હોવાનું જણાવ્યું છે. વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નમાં પણ કોરોના મૃત્યુઆંક અલગ હતો. આરોગ્ય પ્રધાન અને કમિશ્નરના આંકડામાં પણ વિસંગતતા હતી. વળતર ન ચુકવવું પડે તે માટે સરકાર મૃત્યુના આંકડા છુપાવી રહી છે.

આ પણ વાંચો: ઉપલેટામાં ખાતર બાબતમાં બબાલ સર્જાતા થઈ મારામારી

પશુ અને માનવીને સરકાર એક સરખા ગણે છેઃ ડૉ. કિરીટ પટેલે

વધુમાં ડૉ. પટેલે(Patan MLA Dr Kirit Patel) જણાવ્યું હતું કે, હાલ રાજ્ય સરકાર દ્વારા 50 હજારનું વળતર ચુકવવામાં આવે છે. જેના બદલે દરેક મૃતકના પરીવારોને 4 લાખ વળતર ચુકવવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. 50 હજારની સહાયએ પશુ મૃત્યુમાં અપાય છે, જયારે સરકારને પશુ અને માનવીને એક સરખા રાખી આક્ષેપ (Patan MLA Attacked BJP) કરી ઉમેર્યું હતું કે, મૃત્યુઆંક છુપાવવા બદલ સરકારી તંત્રની ઘોર બેદરકારીની તટસ્થાપૂર્વક ન્યાયીક તપાસ થવી જોઇએ. કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓના મેડીકલ ખર્ચની રકમની ચુકવવી કરવી જોઇએ. કોરોનાથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના પરીવારજનોમાંથી કોઇ એકને કાયમી સરકારી નોકરી આપવી જોઇએ. સરકાર કોંગ્રેસની આ માંગણીઓ પુરી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરાશે.

પાટણમાં કોરોનાથી મૃત્યુઆંક અલગ અલગ

પાટણ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા કોરોના મૃતકોની સહાય માટે 2300 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને સરકારમાં સુપ્રત કરાયા હતા. જ્યારે સરકારી ચોપડે પાટણ જિલ્લાનો મૃત્યુઆંક (Death from Corona in Patan) અલગ બતાવવામાં આવી રહ્યો છે .

આ પણ વાંચોઃ પાટણમાં ખાતરની તંગીને પગલે ખેડૂતોનો હોબાળો, 800 ટન યુરીયા ખાતરનો જથ્થો ફાળવવાનો લેવાયો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.