મહારાષ્ટ્ર રાજયના અમરાવતીમાં રહેતા દેવીદાસ પોતે લુહારીકામ સાથે સંકળાયેલા છે. પોતાના પુત્ર દુર્ગેશને મહિનાઓ પહેલા ઘરમા કરંટ લાગ્યો હતો. તેનો જીવ જોખમમાં મૂકાયો હતો. જેથી ચિંતિત બનેલા દેવીદાસે તેનો પૂત્ર દુર્ગેશ સારો થાય તે માટે માનતા માની કે, પુત્ર દુર્ગેશ સાજો થઈ જશે તો હુ જમીનને આળોટતો આળોટતો પોતાના ઘર અમરાવતીથી વૈષ્ણવ દેવી સુધી જઇશ. જો કે, તેમની માનતાને ચમત્કાર ગણો કે, શ્રદ્ધા પોતાનો પુત્ર દુર્ગેશ થોડા સમયમાં સારો થઇ ગયો હતો. જેથી તેમને પોતાની માનતા પુર્ણ કરવા પોતાના ઘર અમરાવતીથી આટોળતા નીકળ્યા છે.
દેવીદાસે પોતાના પુત્ર દુર્ગેશ અને પુત્રી વૈષ્ણવીને પણ સાથે લીધી છે. સાથે એક સાઇકલ છે. જેના પર બેટરી વડે મ્યુઝિક સિસ્ટમ પર માતાજીના ગીતો વગાડતા જાય છે. રસ્તામાં કોઈ દેવીદાસની મદદ પણ કરે છે.તેને જમવાનુ પણ આપે છે. દેવીદાસ 2 નવેમ્બરના દિવસે અમરાવતીથી નીકળ્યા છે. તેઓ ગોધરા પાસેથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવેમાર્ગ ઊપર આવી પહોંચ્યા હતા.અત્યાર સુધી 587 km જેટલુ અંતર કાપી નાખ્યુ છે. તેમની કુલ યાત્રા અમરાવતીથી વૈષ્ણેવ દેવીથી 1618 કિમી જેટલી થશે. આળોટતા ચાલતા હોવાથી તેમને પહોચતા હજૂ મહિનાઓ લાગી શકે છે તેમ દેવીદાસનૂ કહેવૂ છે. તેઓ પંચમહાલના પાવાગઢ ખાતે દર્શન કરી આવ્યા છે.અને આગળ તેઓ અંબાજી ખાતે માતાના દર્શન કરીને રાજસ્થાન, પંજાબ, સહિતના રાજ્યો પસાર કરીને જમ્મુના વૈષ્ણવ દેવી પહોચીને પોતાની માનતા પુર્ણ કરશે.