ETV Bharat / state

શંકરસિંહ વાઘેલા ગોધરાની મુલાકાતે, સરકાર પર કર્યા પ્રહારો

author img

By

Published : Jan 31, 2020, 11:09 PM IST

ગોધરામાં NCP સભ્યનું અવસાન થવાથી વરિષ્ઠ નેતા શંકરસિંહ વાધેલા તેમના પરિવારની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ તેમણે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.

ETV BHARAT
શંકરસિંહ વાઘેલા ગોધરાની મુલાકાતે

પંચમહાલ: જિલ્લાના વડા મથક ગોધરા ખાતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અને NCPના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ શુક્રવારે ઉડતી મુલાકાત લીધી હતી. શંકરસિંહ વાઘેલા NCPના એક સભ્યનું અવસાન થતાં તેમના બેસણામાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ તેમણે ગોધરા સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ લીધો હતો. જ્યાં તેમણે પત્રકારો સાથે ચર્ચા કરીને વર્તમાન સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

શંકરસિંહ વાઘેલા ગોધરાની મુલાકાતે

શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, આજે ગુજરાત અને દેશ દુઃખી છે અને તેમાં પણ સૌથી વધારે દુઃખી ટ્રાયબલ લોકો છે. આજના યુવાનની દશા અને દિશા વધારે ખરાબ છે. રાજકારણમાં અનુભવના અભાવે દેશ મંદીની ગર્તામાં ધકેલાઈ રહ્યો છે. વોટ માગવા સમયે વાયદા કરવામાં આવે છે કે, 15 લાખ જમા કરાવીશું, નોકરી આપીશું અને સુખ-શાંતિમાં વધારો કરશું, જ્યારે વાસ્તવિકતામાં વિકાસને બદલે રૂપિયો તેની નીચી સપાટીએ ધકેલાઈ ગયો છે. આ ઉપરાંત દેશમાં ભયંકર આર્થિક મંદી, બેરોજગારી-બેકારીમાં વધારો થયો છે.

પંચમહાલ: જિલ્લાના વડા મથક ગોધરા ખાતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અને NCPના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ શુક્રવારે ઉડતી મુલાકાત લીધી હતી. શંકરસિંહ વાઘેલા NCPના એક સભ્યનું અવસાન થતાં તેમના બેસણામાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ તેમણે ગોધરા સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ લીધો હતો. જ્યાં તેમણે પત્રકારો સાથે ચર્ચા કરીને વર્તમાન સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

શંકરસિંહ વાઘેલા ગોધરાની મુલાકાતે

શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, આજે ગુજરાત અને દેશ દુઃખી છે અને તેમાં પણ સૌથી વધારે દુઃખી ટ્રાયબલ લોકો છે. આજના યુવાનની દશા અને દિશા વધારે ખરાબ છે. રાજકારણમાં અનુભવના અભાવે દેશ મંદીની ગર્તામાં ધકેલાઈ રહ્યો છે. વોટ માગવા સમયે વાયદા કરવામાં આવે છે કે, 15 લાખ જમા કરાવીશું, નોકરી આપીશું અને સુખ-શાંતિમાં વધારો કરશું, જ્યારે વાસ્તવિકતામાં વિકાસને બદલે રૂપિયો તેની નીચી સપાટીએ ધકેલાઈ ગયો છે. આ ઉપરાંત દેશમાં ભયંકર આર્થિક મંદી, બેરોજગારી-બેકારીમાં વધારો થયો છે.

Intro:પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે આજે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને અને એનસીપીના લીડર શંકરસિંહ વાઘેલા આજે ઉડતી મુલાકાત લીધી હતી તેઓ એનસીપીના એક સભ્યના અવસાન થતા તેમના બેસણામાં હાજરી આપી હતી. તેઓ થોડાક સમય માટે ગોધરા સર્કિટહાઉસ ખાતે રોકાયા હતા અને તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી જેમાં તેમને વર્તમાન સરકાર શાબ્દિક પ્રહારો કર્યા હતા


Body:શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે આજે સૌથી વધારે દુઃખી ગુજરાત અને દેશ છે. અને સૌથી વધારે ટ્રાયબલ વિશેષ દુઃખી છે. આજના યુવાનની દશા અને દિશા વધારે ખરાબ છે.જે માનસિકતા દેશમાં પ્રવર્તી રહી છે.જેમાં નોન ઇસ્યુ ને ઇસ્યુ બનાવામાં આવી રહ્યા છે. રાજકારણમાં અનુભવના અભાવે દેશ મંદીની ગર્તામાં ધકેલાઈ રહ્યો છે. મતો લેવા માટે વાયદા કરે છે 15 લાખ જમા કરાવીશુ, નોકરી આપીશું,સુખ-શાંતિ વધારીશું વિકાસ ને બદલે રૂપિયો ડાઉન થઇ રહ્યો છે.આર્થિક ભયંકર મંદી થઇ ગઈ,નોકરી ગઇ, બેકારી વધી ગઈ નાના મોટા ઉદ્યોગો થઈ ગયા. તેમને વધુમાં જણાવ્યું હતું કે કૌભાંડો એ માઝા મુકી છે.સરકાર જેવું કંઇ છેજ નહીં લોકોએ સરકાર બનાવી છે. ક્યારે તેમને આનંદ આવાદો અને ભોગવી લેવા દો એ પછી દિલ્હી હોય કે ગુજરાત.


Conclusion:બાઇટ:-શંકરસિંહ વાઘેલા
(NCP લીડર)

સ્ટોરી ડેસ્ક પરથી વિહાર સર પાસે પાસ કરવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.