Panchmahal Crime News : સાધુના વેશમાં હેવાન, સંતાનની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

author img

By

Published : Jan 30, 2023, 4:18 PM IST

Panchmahal Crime : સાધુના વેશમાં હેવાન, સંતાનની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

પંચમહાલના ધાબા ડુંગરી પાસે મહિલાને સંતાન પ્રાપ્તિની લાલચ આપી પુજારીએ દુષ્કર્મ આચર્યું છે. બનાવની જાણ પરિવારજનો આઘાત સાથે સ્તબ્ધ થઈ ગયા હતા. બાદમાં મહિલાને પતિએ બનાવને લઈને પુજારી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. (woman Rape case in Halol)

પંચમહાલના ધાબા ડુંગરી પાસે સાધુએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

પંચમહાલ : હાલોલ તાલુકાના ધાબા ડુંગરી પાસે પરપ્રાંતિય સાધુ પુજારીએ પરિણીત મહિલાને સંતાન પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પરિણીત મહિલાએ સાધુ પર હાલોલ તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સાધુની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો : મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના ધાબા ડુંગરી ખાતે આવેલી રામ ટેકરી પર રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા પુજારી સાધુ ક્રિષ્ણકુમાર શિવ વિશાલ ત્રિવેદી પાસે ગત દિવસોમાં એક મહિલા પોતાના પતિ સાથે સંતાન પ્રાપ્તિની બાધા માટે આવી હતી. જેમાં મહિલાના લગ્ન જીવનને દસક વર્ષ પૂર્ણ થવા છતાં તેઓને સંતાન સુખ પ્રાપ્ત ન થયું હતું. જેને લઈને મહિલાએ અનેક દેવી-દેવતાઓની બાધા તેમજ વિવિધ દવાખાનાઓમાં પોતાની સારવાર કરાવ્યા પછી પણ કોઈ નિરાકરણ આવતું ન હતું. તેથી મહિલાને જાણવા મળેલ કે સાધુ ક્રિષ્ણકુમાર સંતાન પ્રાપ્તિ માટે બાધા આપે છે.

નારિયેળ વાળી પૂજા શરૂ કરી : જેને લઇને મહિલા બાધા લેવા માટે પોતાના પતિ સાથે સાધુ પાસે આવી હતી. જેમાં સાધુએ મહિલાને જણાવ્યું હતું કે, માસિક આવ્યાના છઠ્ઠા દિવસે તમારે આવવાનું રહેશે જે બાદ થોડા દિવસ પછી મહિલા પોતાના પતિ સહિત પોતાના પરિવારના અન્ય સદસ્યો સાથે રામ ટેકરી ખાતે આવી હતી. જ્યાં સાધુએ પ્રથમ મહિલાના પતિની માથેથી નારિયેળ વાળી પૂજા શરૂ કરી હતી. તે દરમિયાન મહિલાની સાથે આવેલા અન્ય પરિવારના સદસ્યો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ભોગ બનનાર મહિલા અને તેના પતિ ત્યાં હાજર હતા.

મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું : જેમાં મહિલાના પતિને હાથમાં નારિયેળ આપી સાધુએ બહાર બેસાડ્યો હતો. તેમજ હું બૂમ પાડું ત્યારે જ અંદર આવજો તેમ કહી મહિલાને એક અલગ રૂમમાં લઈ જઈ સંતાન પ્રાપ્તની ક્રિયા કરવાને બહાને મહિલાને સુવડાવી હતી. સાધુએ મહિલાને કહ્યું હતું કે, તારે સંતાન સુખ જોઈતું હોય તો તારો કોઠો સાફ કરવો પડશે. તેમ કહી મહિલા સાથે સાધુએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં મહિલા કશું પણ બોલી શકી ન હતી. જે બાદ મહિલાને સાધુએ દુષ્કર્મ આચાર્ય બાદ કહ્યું હતું કે, તારે સંતાન સુખ જોઈતું હોય તો કોઈને પણ કંઈ પણ કહીશ નહીં.

આ પણ વાંચો : Ahmedabad Crime News : પબજીના કારણે બગડી અમદાવાદની સગીરાની જીંદગી, જૂનાગઢના યુવકે બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

મહિલાએ બનાવની પોતાની બહેને વાત કરી : આ બનાવથી ગભરાઈ ગયેલી મહિલાએ પોતાના પતિને કંઈ પણ કહ્યું ન હતું. પોતાના પતિ સાથે ઘરે આવી ગઈ હતી. જેમાં ઘરે આવ્યા બાદ મહિલાને હિંમત આવતા સમગ્ર ઘટનાની જાણ મહિલાએ પોતાની બહેનને કરી હતી. મહિલાની બહેને પોતાના પતિ સહિત ભોગ બનનાર મહિલાના પતિને સમગ્ર બનાવની જાણ કરી હતી. પરિવારજનો આઘાત સાથે સ્તબ્ધ થઈ ગયા હતા. જેમાં પહેલાના પતિએ આ બાબતે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ પોતાના પરિવારજનો સાથે આવી હાલોલ તાલુકા પોલીસ મથકે સાધુ ક્રિષ્ણકુમાર શિવ વિશાલ ત્રિવેદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : Rajkot Crime News : રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ, સગીરાના મૃત બાળકની કબર ખોલી સેમ્પલ લેવાયા

આરોપી બે બાળકોનો બાપ : આ સમગ્ર પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે, જ્યારે એક સંત સાધુ સામે મહિલાએ સંતાન પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોધાવતા સમગ્ર તાલુકા પંથકમાં તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી છે. મહિલાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદને પગલે હાલોલ તાલુકા પોલીસે સાધુ ક્રિષ્ણકુમાર શિવ વિશાલ ત્રિવેદીની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છેલ્લા 15 વર્ષથી આ જગાએ પોતાનો આશ્રમ સ્થાપીને રહેતો હતો .મૂળ ઉત્તર પ્રદેશના આ કહેવાતા પૂજારી પાસે ઘણા લોકો પોતાની સમસ્યાઓ લઈને આવતા હતા. આરોપી બે બાળકોનો પિતા હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ જે સમયે આ બનાવ બન્યો એ સમયે પરિવાર પણ ત્યાં જ હાજર હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.