ETV Bharat / state

પંચમહાલમાં આજે કોરોનાના 27 કેસ નોંધાયા, કુલ કેસ 3108

author img

By

Published : Nov 25, 2020, 11:06 PM IST

પંચમહાલમાં આજે કોરોનાના 27 કેસ નોંધાયા, કુલ કેસ 3108
પંચમહાલમાં આજે કોરોનાના 27 કેસ નોંધાયા, કુલ કેસ 3108

પંચમહાલ જિલ્લામાં પણ ધીમે ધીમે કોરોનાના કેસના આંકડાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. આજે પંચમહાલ જિલ્લામાં કોરોનાના 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 3108 થઈ ચૂકી છે. જ્યારે 5 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં હાલ કોરોનાના 203 સક્રિય દર્દી છે.

  • પંચમહાલમાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા
  • કોવિડ હોસ્પિટલમાંથી 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
  • કોરોનાના 2784 દર્દીએ કોરોનાને આપી મ્હાત

પંચમહાલઃ જિલ્લામાં આજે કોવિડ-18 સંક્રમણના 27 નવા કેસ આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3108 થઈ છે. 5 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 203 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 19 કેસ મળી આવ્યા છે, જે પૈકી ગોધરામાંથી 12, હાલોલમાંથી 3 કેસ અને કાલોલમાંથી 4 કેસ મળી આવ્યા છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસની સંખ્યા 846 થઈ

શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2262 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે 8 કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી 2 કેસ, હાલોલ ગ્રામ્યમાંથી 3, કાલોલ ગ્રામ્યમાંથી 1, શહેરા ગ્રામ્યમાંથી 1 અને મોરવાહડફમાંથી 1 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 846 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 5 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 2784 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 203 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.