ETV Bharat / state

હળવદમાં સતના પારખા કરવા ઉકળતા તેલમાં હાથ નખાવ્યા

author img

By

Published : Jun 18, 2019, 7:47 PM IST

Updated : Jun 18, 2019, 11:55 PM IST

અંધશ્રદ્ધા : ઉકળતા તેલમાં હાથ નાખાતા મહિલા દાઝી

મોરબી : હળવદના ચુપણી ગામે અંધશ્રદ્ધામાં બે પાડોશી પરિવાર વચ્ચે વાડો કોનો છે જે બાબતને લઈ ઝગડો થયો હતો. આ બનાવને લઈ અંધશ્રદ્ધામાં મહિલાનો હાથ ઉકળતા તેલમાં નાખવામાં આવતા મહિલા દાઝી ગઈ હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના ચુપણી ગામે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ પડોશમાં રહે છે. તેમના મકાનની બાજુમાં સરકારી જમીન પર વાડો આવેલો છે. આ વાડાની માલિકી માટે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વાડો કોનો છે તે અંગે ચાલતી કાયમી વિવાદનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય કર્યો હતો. ગેલાભાઈના પત્ની લક્ષમીબેને ઉકળતા તેલમાં હાથ નાખતા તેઓ દાઝી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અંધશ્રદ્ધા : ઉકળતા તેલમાં હાથ નાખાતા મહિલા દાઝી

હળવદ પોલીસે બંને પક્ષની અરજી લઈને વધુ તપાસ શરુ કરી છે. તો અંધશ્રદ્ધાના કિસ્સાને ચોતરફથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

R_GJ_MRB_08_18JUN_HALVAD_ANDH_SHRADHDHA_VIDEO_AV_RAVI

R_GJ_MRB_08_18JUN_HALVAD_ANDH_SHRADHDHA_SCRIPT_AV_RAVI

અંધશ્રદ્ધા : હળવદના ચુપણી ગામે ઉકળતા તેલમાં હાથ નખાવતા મહિલા દાઝી

બે પાડોશી પરિવાર વચ્ચે વાડો કોનો છે તે નક્કી કરવા

અંધશ્રદ્ધાનો આશરો લેતા મહિલા દાઝી, સારવારમાં  

હળવદના ચુપણી ગામે અંધશ્રદ્ધાની બે પાડોશી પરિવાર વચ્ચે વાડો કોનો છે તે નક્કી કરવા માટે એક મહિલાનો હાથ ઉકળતા તેલમાં નાખી દેતા મહિલા દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે અને બનાવ અંગે પોલીસે અરજીને આધારે વધુ તપાસ ચલાવી છે 

ચકચારી ઘટનાની મળતી માહિતી મુજબ હળવદના ચુપણી ગામે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ પડોશમાં રહે છે અને તેમના મકાનની બાજુમાં સરકારી જમીન પર વાડો આવેલો છે. આ વાડાની માલિકી માટે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. ગેલાભાઈના પુત્રએ આ વિવાદિત વાડામાં પોતાના પશુ બાંધતા રૈયાભાઈએ આ વાળો આમારો છે તેવું કહેતા બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારે વાડો કોનો છે તે અંગે ચાલતી કાયમી માથાકૂટનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય સુચવ્યો હતો.આથી સત્યના પારખા કરવા માટે ગેલાભાઈના પત્ની લક્ષમીબેને ઉકળતા તેલમાં હાથ નાખતા તેઓ દાઝી ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

બનાવ અંગે ગેલાભાઈએ હળવદ પોલીસમાં અરજી કરી હતી આથી બચાવ માટે સામે રૈયાભાઈએ પણ હળવદ પોલીસમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે. હળવદ પોલીસે બંને પક્ષની અરજી લઈને બનાવની તપાસ ચલાવી છે તો અંધશ્રદ્ધાના કિસ્સાને ચોતરફથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે 

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

Last Updated :Jun 18, 2019, 11:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.