રાજસ્થાન સરકારની મનમાની સામે મોરબી મિનરલ્સ ઉદ્યોગકારો નારાજ

author img

By

Published : Jul 31, 2020, 4:28 PM IST

રાજસ્થાન સરકારની મનમાની સામે મોરબી મિનરલ્સ ઉધોગકારો નારાજ

રાજસ્થાન હાઇકોર્ટે 4 મહિના પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગ અને મિનરલ્સ ઉદ્યોગની તરફેણમાં હુકમ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન સરકારે માઇન્સ અને મિનરલની સપ્લાઇ ઉપર જે પ્રતિબંધ મુક્યો હતો, તેને રદ કરી નાખ્યો છે. તો પણ રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદાની આજદિન સુધી અમલવારી કરવામાં આવી ન હોવાના મોરબીના ઉદ્યોગપતિ કરી રહ્યા છે. જેથી મોરબીના સિરામિક અને મિનરલ્સના કારખાના ચલાવતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે, માટે રાજસ્થાન હાઇકોર્ટમા કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટનો કેસ કરવામાં આવ્યો છે. તેમજ સુપ્રિમ કોર્ટમાં પણ કેવીએટ દાખલ કરવામાં આવી છે.

મોરબીઃ જિલ્લામાં 30 મિનરલ્સના કારખાના આવેલ છે અને સિરામિકના 1200 જેટલા યુનિટો છે. સિરામિકમાં વપરાતુ રો મટીરીયલ રાજસ્થાનથી આવતું જતું હતું, જે રાજસ્થાન સરકારે દોઢ વર્ષ પહેલા ચિપ્સ, ગીટી, ગઠ્ઠા અને ગ્રીન્સની સ્પલાઇ ઉપર બ્રેક લગાવી હતી. તેની સીધી અસર સિરામિક ટાઈલ્સ ઉદ્યોગને થઇ હતી કારણ કે, રાજસ્થાની મટીરીયલ્સનો ટાઈલ્સના ઉત્પાદનમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેથી રાજસ્થાનથી પહેલાની જેમ જ રો-મટીરીયલ્સ આવવાનું શરુ થઇ જાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને રાજસ્થાન સરકારે ચિપ્સ, ગીટી અને ગ્રીન્સની સપ્લાઈ ઉપર મુકેલા પ્રતિબંધને હટાવવા માટે રાજસ્થાન હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવમાં આવી હતી. જેમાં લાંબી લડાઇ પછી મોરબીના સિરામિક અને મિનરલ્સના ઉધોગની તરફેણમાં ચુકાદો આવ્યો છે. જો કે રાજસ્થાન હાઈકોર્ટે આપેલા ચુકાદાને ચાર મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં પણ રાજસ્થાન સરકારે હાઇકોર્ટના રીપોર્ટબલ ચુકાદાની પણ અમલવારી કરી નથી. તેમ મિનરલ્સ એસોના પ્રમુખ લલિત કામરીયાએ જણાવ્યું હતું.

રાજસ્થાન સરકારની મનમાની સામે મોરબી મિનરલ્સ ઉધોગકારો નારાજ

મોરબી મિનરલ્સ એસોના પ્રમુખે જણાવ્યું કે, છેલ્લા 1.5 વર્ષથી રાજસ્થાન સરકાર સામે લડત લડી રહ્યા છીએ અને મોરબીનું 600 કરોડનું રોકાણ છે અને દર વર્ષે મોરબી સિરામિક 5500 કરોડનું એક્સપોર્ટ કરે છે, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજસ્થાન સરકાર ચીનની મદદ કરી રહી હોય તેવી લાગી રહ્યું છે અને વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર થવાની વાત કરવામાં આવે છે, પરંતુ આ રીતે આત્મનિર્ભર ન થઇ શકાય અને રાજસ્થાનથી રો મટીરીયલ બંધ થતા ફરી ચીનથી મગાવવાનો વારો આવ્યો છે અને મિનરલ્સ ઉધોગ 5000 જેટલા લોકોને રોજગારી આપે છે. તેનાથી સિરામિક ઉધોગ પણ ચાલે છે. જો કે અગામી દિવસોમાં રાજસ્થાન સરકાર મનમાની બંધ નહિ કરે તો સિરામિક ઉધોગને મોટો ફટકો પડશે.

મોરબી મિનરલ્સ એસો.ના ઉપપ્રમુખ મહેશભાઈ સરડવાએ કહ્યું કે, રાજસ્થાનથી આવતા પથ્થરમાંથી મોરબીમાં પ્રોસેસ કરીને ઉતમ ગુણવતાની માટી તૈયાર કરવામાં આવતી હતી જો કે, પથ્થરની સપ્લાઈ ઉપર વર્ષ 2018માં પ્રતિબંધ મુકીને રાજસ્થાન સરકાર દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોરબીના ઉદ્યોગકારો દ્વારા રાજસ્થાનથી પ્રોસેસ કરેલ રો-મટીરીયલ્સ લઇ આવીને તેમાંથી ઉતમ માટી તૈયાર કરવાનું મોરબીમાં શરુ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના આ નિર્ણયથી સિરામિક ટાઈલ્સના ભાવ પણ વધશે અને ક્વોલીટી પણ નબળી પડશે.

ઉધોગકાર કૃણાલ પટેલ જણાવ્યું કે એક મહિનાનું 4000 ટનની રો મટીરીયલ આયાત કરવું પડે છે. પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવતા મોટી નુકશાની આવી શકે છે અને સાઉથ ઇન્ડિયામાં રો મટીરીયલ મળી શકે છે. પણ તેની કોસ્ટ વધારે છે. જેથી ટાઈલ્સના ભાવ વધીં શકે છે અને ક્વોલીટી પણ નબળી થશે. માટે ઉત્પાદનના 20 ટકા એક્સપોર્ટ થતું હતું, પરંતુ હાલમાં તે બંધ છે. જેથી મુશ્કેલી પડી રહી છે. આગામી દિવસોમાં એક્સપોર્ટ સાવ પડી ભાંગશે તેવો ભય સતાવે છે.

મોરબી સિરામિક ઉધોગ પર મુશ્કેલીના વાદળો છવાયા છે અને મહત્વનું છે કે રો મટીરીયલ કહેવાય તે જ હાલમાં મળી નથી રહ્યું જેથી મુશ્કેલી વધી છે. તો આજે કોર્ટમાં હિયરીંગ હતી પરંતુ તેમાં પણ કોર્ટ દ્વારા રાજસ્થાન સરકારને સ્ટે આપવામાં આવ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.