ETV Bharat / state

પશ્ચિમ બંગાળની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા ભાજપે યોજ્યા ધરણા

author img

By

Published : May 6, 2021, 1:26 PM IST

ધારાસભ્ય,ઉપાધ્યક્ષ, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
ધારાસભ્ય,ઉપાધ્યક્ષ, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

તાજેતરમાં બંગાળની ચૂંટણી સંપન્ન થઇ અને TMCએ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. જોકે ચૂંટણી પરિણામો બાદ હિંસા ફાટી નીકળી હોય અને ભાજપ કાર્યકરોને નિશાન બનાવવામાં આવતા હોવાના આક્ષેપો સાથે ભાજપ દ્વારા રાજ્ય અને દેશમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેમાં આજે મોરબીમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા.

  • ધારાસભ્ય,ઉપાધ્યક્ષ, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
  • અત્યાચાર સામે કડક પગલા ભરવાની કરવામાં આવી માંગણી
  • મોરબીમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ કર્યા ધરણા

મોરબી: બંગાળમાં થઇ રહેલી હિંસાના વિરોધમાં 6 મે ના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક ભાજપ કાર્યાલયમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા. મોરબીમાં ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રદેશ અગ્રણી જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા.

મોરબીમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ કર્યા ધરણા

આ પણ વાંચો: 'ખેલા હોબે'ગેમમાં TMCની જીત, ભાજપની હાર

બંધારણની મર્યાદામાં યોગ્ય પગલા ભરે તેવી કરાઈ માગ

આ પ્રસંગે ધારાસભ્ય મેરજાએ જણાવ્યું હતું કે, વિજયના ઉન્માદમાં અને સતાના મદમાં TMC કાર્યકરો બેફામ બન્યા છે અને ભાજપ કાર્યકરો પર અત્યાચાર કરી રહ્યા છે. આવા કાર્યકરોની શાન ઠેકાણે લાવવા સરકાર બંધારણની મર્યાદામાં યોગ્ય પગલા ભરે તેવી માગ કરી હતી.

આ પણ વાંચો: મમતા દીદી માનસિક સંતુલન ગુમાવી બેઠી છે: શિવરાજ સિંહ ચૌહાણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.