ETV Bharat / state

Morbi Ceramics : રશિયા યુક્રેન યુદ્ધના કારણે મોરબી સિરામિકને મોટો ફટકો

author img

By

Published : Mar 3, 2022, 2:09 PM IST

Updated : Mar 3, 2022, 5:46 PM IST

Morbi Ceramics : રશિયા યુક્રેન યુદ્ધના કારણે મોરબી સિરામિકને મોટો ફટકો
Morbi Ceramics : રશિયા યુક્રેન યુદ્ધના કારણે મોરબી સિરામિકને મોટો ફટકો

રશિયા યુક્રેનમાં ભયંકર યુદ્ધને (Russia Ukraine war) કારણે મોરબીના સિરામિકને (Morbi Ceramics) કાળી થપાટ કરવાના એંધાણ મળી રહ્યા છે. રશિયામાં (Export of Morbi Ceramics to Russia) દર મહિને 50 કરોડ, યુક્રેનમાં દર મહિને 10 કરોડનો માલ એક્સપોર્ટ થાય છે.

મોરબી : રશિયા યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને (Russia Ukraine War) કારણે મોરબીના સિરામિક એક્સપોર્ટને ફટકો પડવાના એંધાણ મળી રહ્યા છે. મોરબીમાં ઉત્પાદિત સિરામીક પ્રોડક્ટનું રશિયા મોટું ખરીદદાર હોવાથી હાલના તબક્કે એક્સપોર્ટ પર માઠી અસર પડી છે. માર્ચ માસના અંતિમ અઠવાડિયામાં યોજાનાર સીરામીક એક્સ્પો પર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.

યુક્રેનમાં દર મહિને 10 કરોડનો માલ એક્સપોર્ટ થાય છે

ઓર્ડર, પેમેન્ટ સહિતની સમસ્યાઓ સિરામિક ઉધોગ પર પડી

રશિયા–યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે મોરબીના એક્સપોર્ટ માર્કેટને બમણી અસર (Impact on Morbi due to Russia Ukraine War)પડવાની શક્યતા સેવાઇ રહી છે. મોરબી સીરામીક એસોસીએશન (Morbi Ceramic Association) પ્રમુખ જણાવ્યું હતું કે, રશિયામાં વર્ષે 600 કરોડ એટલે કે દર મહિને 50 કરોડનું એક્સપોર્ટ થાય છે. એ જ રીતે યુક્રેનમાં દર મહિને 10 કરોડ રૂપિયા એટલે કે વર્ષે 120 કરોડનું એક્સપોર્ટ થતું હોવાથી યુદ્ધની સ્થિતિમાં બન્ને રાષ્ટ્રોમાં એક્સપોર્ટ થવા અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે. હાલ સિરામિકનું એક્સપોર્ટ 50 ટકા થયું છે.

આ પણ વાંચોઃ Union Budget 2022 : મોરબી સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા

પેન્ડિંગ ઓર્ડર અને શિપિંગ થયેલા પર સંકટના વાદળો

મોરબી સિરામીક એસોસિએશના પૂર્વ પ્રમુખ અને અગ્રણી એક્સપોર્ટ નિલેશ જેતપરિયાએ જણાવ્યું કે, મોરબીમાં ઉત્પાદિત સિરામિક પ્રોડક્ટ નું રશિયા મોટું ખરીદદાર રાષ્ટ્ર હોવાથી યુદ્ધની સ્થિતિને કારણે હાલમાં પેન્ડિંગ ઓર્ડર અને શિપિંગ થયેલા માલ સામે સંકટના વાદળો ઘેરાયા છે. તો પેમેન્ટની સમસ્યા પણ સર્જાઈ હોવાની વાત તેમને કરી હતી. આગામી માર્ચ માસના અંતિમ અઠવાડિયામાં રશિયા ખાતે સિરામિક એક્સપો યોજાઈ રહ્યો હોવાથી મોરબીના અંદાજે 200 જેટલા ઉદ્યોગકારો દ્વારા વિઝા મુકવામાં આવ્યા છે. પરંતુ યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિ જોતા અવઢવની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ મોરબીના નવા ઉદ્યોગ સાહસિકો માટે કોન્ક્લેવનું આયોજન થયું

ઉધોગ બંધ થવાના આરે

રશિયા–યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે સીરામીક પ્રોડક્ટના એક્સપોર્ટ ઉપર ખતરો સર્જવાની સાથે સ્લેબ પ્રકારની ટાઇલ્સના ઉત્પાદનમાં માઠી અસર પડવાની ઉદ્યોગકારોએ દહેશત વ્યક્ત કરી છે. સ્લેબ ટાઈલ્સમાં યુક્રેનથી (Export of Morbi Ceramics to Ukraine) આયાત થતી ખાસ પ્રકારની યુક્રેન ક્લેનો ઉપયોગ કરવામાં આવે છે. અને દર મહિને મોરબીમાં યુક્રેનથી અંદાજે 20 થી 25 કન્ટેનર યુક્રેન ક્લે આવતી હોવાનું મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું.

Last Updated :Mar 3, 2022, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.