ETV Bharat / state

હળવદમાં 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

author img

By

Published : Apr 22, 2021, 6:27 PM IST

હળવદમાં 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન
હળવદમાં 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

મોરબી જીલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેના પગલે ગામડાઓમાં સ્વૈછિક લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હળવદ શહેરમાં પણ આજથી 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

  • હળવદ શહેરમાં 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન
  • હળવદમાં વધતા જતા કેસને લઈને લેવાયો નિર્ણય
  • માત્ર જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રહેશે

મોરબી: હળવદ તાલુકામાં સતત કોરોનાના કેસ વધતા જતા હોવાથી વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ આંશિક લોકડાઉનનું જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સ્થિતિ વણસતી જણાતા સર્વે સમંતિથી નિર્ણય કરવામાં આવ્યો અને 5 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેથી હળવદના બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યા છે.

હળવદમાં 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

વેપારીઓ તમામ નિર્ણયમાં સાથ આપશે

હળવદમાં તમામ વેપારીઓએ લોકડાઉનને સંપૂર્ણ પ્રતિસાદ આપ્યો હતો. જેથી વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓનો આભાર માનવામાં આવ્યો હતો અને આગામી સમયમાં કોરોનાને લઈને વધુ કડક નિર્ણય લેવા પડે તો પણ વેપારીઓ સાથ આપશે તેવી આશા સેવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.