ETV Bharat / state

વડનગરના હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર જ્યંતીની કોરોના ગાઈડ લાઇન મુજબ ઉજવણી કરાઈ

author img

By

Published : Apr 27, 2021, 12:13 PM IST

નગરચર્યાએ નીકળ્યા દાદા હાટકેશ્વર
નગરચર્યાએ નીકળ્યા દાદા હાટકેશ્વર

ઐતિહાસિક નગરી વડનગરમાં વર્ષોથી હાટકેશ્વર જ્યંતી ઉજવાય છે. હાટકેશ્વર જ્યંતીએ દાદાનું વિશેષ પૂજન અર્ચન અને શોભાયાત્રા કરવામાં આવે છે. કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે આજે દાદાની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવશે.

  • વડનગરમાં આવેલું છે હાટકેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક મંદિર
  • વડનગરમાં આજે હાટકેશ્વર જ્યંતિની ઉજવણી
  • નગરચર્યાએ નીકળ્યા દાદા હાટકેશ્વર

મહેસાણા: વડનગરમાં આવેલા પૌરાણિક હાટકેશ્વર મંદિરે આજે દાદાની હાટકેશ્વર જ્યંતીની ઉજવણી કરવામાં આવી છે. વર્ષોથી પરંપરા મુજબ હાટકેશ્વર દાદાની નગરયાત્રા નીકળે છે. જેમાં હાટકેશ્વર દાદા સ્વયં પાલખીમાં બિરાજમાન થઈ નગરચર્યા દરમિયાન સમગ્ર નગરની પરિક્રમા કરે છે. આ નગર ચર્યાએ નીકળેલા દાદા હાટકેશ પોતાની બહેન ચૈતરેશ્વરી માતાજીને આજના દિવસે સાડીની ભેટ અર્પણ કરે છે અને બાદમાં શોભાયાત્રા પરત મંદિરે ફરે છે. આ યાત્રા દરમિયાન દાદાના દર્શન અને શોભાયાત્રાનો લહાવો લેવા દૂર-દૂરથી ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ ખાસ વડનગરના આ પૌરાણિક મંદિરે દાદાના આવે છે. જોકે આ વખતે કોરોનાને લઈ કોઈ ભીડ એકત્ર ન કરી માત્ર મંદિરના પૂજારી અને જૂજ ભક્તોની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી છે.

હાટકેશ્વર જ્યંતી
હાટકેશ્વર જ્યંતી

આ પણ વાંચો: વડનગરના પૌરાણિક હાટકેશ્વર મંદિરમાં દ્વિદિવસીય મહા શિવરાત્રીની ઉજવણી કરાઇ

જૂજ લોકોની ગેરહાજરીમાં ઉજવણી

કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને દર્શનાર્થીઓ અને ભક્તોની ગેરહાજરીમાં ઉજવણી કરવામાં આવી રહી છે. માત્ર પૂજારી અને મંદિર સંસ્થાનના સંચાલકોની ઉપસ્થિતિમાં ઉજવણી થશે. સાંજે હાટકેશ્વર દાદાની પાલખી કાઢવામાં આવશે. દાદાની પાલખીમાં પણ કોઈ ભીડ એકત્ર કરવામાં આવશે નહિ. જૂજ લોકોની ગેરહાજરીમાં પરંપરાગત હાટકેશ્વર જયંતીની ઉજવણી થશે.

આ પણ વાંચો: શિવરાત્રીએ વડનગરમાં ભક્તોનું ઘોડાપૂર, હાટકેશ્વર દાદાની ભવ્ય પાલખિ યાત્રા

પૂજા કરી નગરયાત્રા કાઢવામાં આવી

શ્રૃષ્ટિના સર્જનહાર એવા દેવોના દેવ મહાદેવ વડનગરમાં હાટકેશ્વર સ્વરૂપે બિરાજમાન છે, ત્યારે આજે હાટકેશ્વર જ્યંતિ નિમિતે વડનગરમાં દાદાની ખાસ પૂજા કરી નગરયાત્રા કાઢવામાં આવી છે. સામાન્ય દિવસોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. જોકે કોરોનાનાકાળ ચાલુ હોવાથી પૂજારી સહિત જૂજ લોકોની સંખ્યામાં દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ છે.

શ્લોકોચ્ચાર સાથે દાદાના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે

આમ, તો વડનગરમાં બિરાજમાન સ્વયંભૂ દાદા હાટકેશના દર્શન પૂજનનું ખાસ મહત્વ રહેલું છે ત્યારે આજે દાદાની હાટકેશ્વર જ્યંતી નિમિતે ખાસ પ્રકારે ચૌપોરની આરતી પૂજા કરી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને વિશેષ શ્લોકોચ્ચાર સાથે દાદાના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.