અનોખી મિત્રતામાં નરેન્દ્ર મોદી કૃષ્ણ તો કોણ હતા સુદામા? મોદીના ખાસ મિત્ર સાથે વાતચીત

author img

By

Published : Sep 16, 2022, 7:09 PM IST

અનોખી મિત્રતામાં નરેન્દ્ર મોદી કૃષ્ણ તો કોણ હતા સુદામા? મોદીના ખાસ મિત્ર સાથે વાતચીત

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બર 2022ના રોજ 72મો જન્મ દિવસ (PM Modi Birthday) છે. વડાપ્રધાન એ એક સામાન્ય પરિવારમાં જન્મેલા બાળક હતા. તેઓના પરિવારજનો આજે પણ તેમના જન્મદિવસ પર બાળપણની સ્મૃતિઓ (PM Modi Birthday Childhood memories) યાદ કરી રહ્યા છે. આ સાથે તેઓના ખાસ મિત્રો તેમને યાદ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીના ખાસ મિત્રોમાં 15 વ્યકિતઓ છે. તેમાંથી હાલ 3 ખાસ મિત્રો હયાત છે. ચાલો જાણીએ શું કહે છે તેમના સુદામાં જેવા મિત્રની જુબાની આ અહેવાલમાં

મહેસાણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બર 2022ના રોજ 72મો જન્મદિવસ (PM Modi Birthday) છે. તેઓનો જન્વમ મહેસાણાના વડનગરમાં (Vadnagar Historical Town) થયો હતો. વડાપ્રધાન એ એક સામાન્ય પરિવારમાં જન્મેલા (Prime Minister Modi Birthday) બાળક હતા. નરેન્દ્ર મોદી અને તેમની મિત્ર ટીમ સાંજના સમયે શર્મિષ્ઠા તળાવમાં તળવા માટે જતા હતા. વડનગરની ધરતીને (PM Modi Birth place Mehsana Vadnagar) ગૌરવંતી બનાવનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજે પણ વડનગરમાં તેમના એક મિત્ર યાદો સાચવીને (PM Modi Friendship Memories) બેઠા છે. નરેન્દ્ર મોદીને કૃષ્ણ અને પોતાને સુદામા સમજી રહેલા વડનગરના શામળભાઈ મોદીએ નાની ઉંમરમાં પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી.

શામળ ભાઈએ માટેની છત્રછાયા ગુમાવતા નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ઉછેર કરેલો હતો

ભાઈ જેવી ભાઈબંધી મિત્ર એવા નરેન્દ્ર મોદીના માતા હિરાબા દ્વારા શામળભાઈને જોડે રાખી દીકરાની જેમ ઉછેર કરવામાં આવ્યો હતો. આ જ સંજોગથી નરેન્દ્ર મોદી અને શામળભાઈ ભાઈ જેવી ભાઈબંધી સાથે જોડાયા હતા. શામળભાઈના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી એ અભ્યાસુ અને હોશિયાર વ્યક્તિ હતા તેઓ બાળપણમાં(Narendra Modi childhood in the streets of Vadnagar ) તમામ વસ્તુમાં રસ ધરાવતા હતા કોઈપણ ગામ કઠણાઈ ભર્યું હોવા છતાં પણ તેઓ કરતા હતા.

15 મિત્રોની ટોળકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 15 મિત્રોની ટોળકી (PM Modi Friends) હતી. જેમાંથી આજે માત્ર ત્રણ મિત્રો રહ્યા છે અને આ 15 મિત્રોની ટોળકી સાંજ પડે શર્મિષ્ઠા તળાવમાં (Sharmishtha Lake in Vadanagar) ફરવા અને તરવા (PM Modi Swim with friends in Sharmistha Lake) માટે જતા હતા આજે પણ શામળભાઈ નરેન્દ્ર મોદીના જન્મદિવસ સહિતના શુભ પ્રસંગે કાર્ડ (PM modi Birthday Card from Friends ) લખી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તેમને આજે પણ કૃષ્ણ અને સુદામાના સંબંધ થી જોડાયેલા હોવાનો અહેસાસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.