PM મોદી જ્યાં ચા વેચતા હતા તે દુકાન હવે બનશે પર્યટન સ્થળ

author img

By

Published : Jul 15, 2021, 7:41 PM IST

Updated : Jul 16, 2021, 1:27 PM IST

PM મોદી જ્યાં ચા વેચતા હતા તે દુકાન હવે બનશે પર્યટન સ્થળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના બાળપણના સંસ્મરણો આજે પણ વડનગરની ધરતી પર ઇતિહાસ બની ઉભેલા જોવા મળે છે. ત્યારે વડનગરનું પ્રાચીન રેલવે સ્ટેશન (Vadnagar railway station) કે જ્યાં નરેન્દ્ર મોદી પોતાની બાળ આયુમાં શાળાએથી રિશેષ કે શાળા છૂટ્યા બાદ આવી જતા અને તેમના પિતા રેલવે સ્ટેશન પાસે ચાની કીટલી ચલાવતા હતા. ત્યાં ચા વેચવામાં તેમને મદદ કરતા હતા. ત્યારે આજે પણ તેમનું પરિશ્રમી સ્થળ એક વિશેષ રૂપે વડનગર રેલવે સ્ટેશન પર શોભી રહ્યું છે.

  • વડાપ્રધાન મોદીના પિતા દામોદર મોદીની ચાની કીટલી જોવાલાયક સ્થળ તરીકે મુકાઈ
  • વડનગર રેલવે સ્ટેશન પર મોદીની કીટલી પર્યટકો માટેનું નજરાણું
  • વડાપ્રધાન મોદી બાળપણમાં શાળાએથી આવી પિતાને ચા વેચવામાં સહયોગ કરતા
  • એક સામાન્ય ચા વેંચતા વ્યક્તિના પુત્ર વડાપ્રધાન બનતા કીટલીને મહત્વ આપવામાં આવ્યું
    વડાપ્રધાન મોદીના પિતા દામોદર મોદીની ચાની કીટલી જોવાલાયક સ્થળ તરીકે મુકાઈ
    વડાપ્રધાન મોદીના પિતા દામોદર મોદીની ચાની કીટલી જોવાલાયક સ્થળ તરીકે મુકાઈ

મહેસાણા: જિલ્લામાં આવેલા વડનગરમાં ઐતિહાસિક નગરી પેટાણામાં અનેક ઇતિહાસ દબાયેલો છે. ત્યારે બૌદ્ધ ધર્મ સહિતના પૌરાણિક સ્ટ્રક્ચર અને અવશેષો મળતા વડનગરની ઓળખ દેશ વિદેશમાં થઈ રહી છે. ત્યારે વડનગર હવેના માત્ર ઇતિહાસિક નગર પરંતુ હાલમાં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના વતન તરીકે પણ નામના મેળવ્યું છે. ત્યારે વતનની મહેકમાં વધારો કરતા નરેન્દ્ર મોદીના બાળપણના સંસ્મરણો આજે પણ વડનગરની ધરતી પર ઇતિહાસ બની ઉભેલા જોવા મળે છે.

વડાપ્રધાન મોદી બાળપણમાં શાળાએથી આવી પિતાને ચા વેચવામાં સહયોગ કરતા
વડાપ્રધાન મોદી બાળપણમાં શાળાએથી આવી પિતાને ચા વેચવામાં સહયોગ કરતા

આ પણ વાંચો: Dream Projects Of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ, નામના પણ અને કામના પણ ખરાં..!

વડાપ્રધાન મોદીના પિતા દામોદર મોદીની ચાની કીટલી જોવાલાયક સ્થળ તરીકે મુકાઈ

વડનગર(Vadnagar)નું પ્રાચીન રેલવે સ્ટેશન (Railway station)કે જ્યાં નરેન્દ્ર મોદી પોતાની બાળ આયુમાં શાળાએથી રિશેષ કે શાળા છૂટ્યા બાદ આવી જતા અને તેમના પિતા રેલવે સ્ટેશન પાસે ચાની કીટલી ચલાવતા હતા. ત્યાં ચા વેચવામાં તેમને મદદ કરતા હતા. નાની ઉંમરે પરિશ્રમથી પરિવારને મદદરૂપ થવું એ બાળકના એક મહત્વના સંસ્કાર કહી શકાય ત્યારે નાનપણથી પરિશ્રમ એ જ નરેન્દ્ર મોદીના જીવનમાં વણાયેલું હતું અને આજે તેમની પ્રસિદ્ધિ પાછળ આજે પણ તેમનું પરિશ્રમી સ્થળ એક વિશેષ રૂપે વડનગર રેલવે સ્ટેશન પર શોભી રહ્યું છે.

એક સામાન્ય ચા વેંચતા વ્યક્તિના પુત્ર વડાપ્રધાન બનતા કીટલીને મહત્વ આપવામાં આવ્યું
એક સામાન્ય ચા વેંચતા વ્યક્તિના પુત્ર વડાપ્રધાન બનતા કીટલીને મહત્વ આપવામાં આવ્યું

વડનગર રેલવે સ્ટેશન પર મોદીની કીટલી પર્યટકો માટેનું નજરાણું

વડનગર ખાતે 17 વર્ષ બાદ રેલવે ટ્રેનનું પુનઃ આગમન થઈ રહ્યું છે. ત્યારે વડનગર ખાતે 8 કરોડથી વધુ ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વડનગરના અન્ય જોવાલાયક સ્થળોમાં રેલવે સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા જે ચાની કીટલી ચલાવતા અને નરેન્દ્ર મોદી ત્યાં ચા વેંચતા તે કીટલી તે જ જૂની ખખડધજ કન્ડિશનમાં મુકવામાં આવી છે. જો કે, આ ચાની કીટલી આજે જોવાલાયક સ્થળ તરીકે પ્રચલિત બની છે. હાલમાં આ રેલવે સ્ટેશન પર ટ્રેન શરૂ થતાં પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે તો અહીં આવતા પર્યટકો માટે ચાની કિટલીનું નજરાણું જોવા મળશે.

PM મોદી જ્યાં ચા વેચતા હતા તે દુકાન હવે બનશે પર્યટન સ્થળ

આ પણ વાંચો: વડાપ્રધાનના વતન વડનગરમાં પણ મોદીના રાજતિલકની ઉજવણી

Last Updated :Jul 16, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.