ETV Bharat / state

લુણાવાડામાં કોરોના કેસ વધતાં મુખ્ય બજાર બંધ કરાયું

author img

By

Published : Apr 4, 2021, 8:31 AM IST

કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરતા અવરજવર પર પ્રતિબંધ
કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરતા અવરજવર પર પ્રતિબંધ

સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર કોરાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થતાં જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. લુણાવાડા બસસ્ટેન્ડ પાસે આવેલ વિસ્તારમાં ગુરૂવારે 48 વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરતાં તેમાંથી 11 જેટલા વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સતર્ક બન્યું છે.

  • લુણાવાડામાં કોરાનાના કેસમાં ચિંતાજનક વધારો
  • 48 વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરતાં 11 કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરતા અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો

મહીસાગર : જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કોરોના કેશમાં ચિંતાજનક વધારો થતાં જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. લુણાવાડા બસસ્ટેન્ડ પાસે આવેલા વિસ્તારમાં ગુરુવારે 48 વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાતા તેમાંથી 11 વેપારીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લુણાવાડા મામલતદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા આ વિસ્તારને કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરી આ વિસ્તારમાં મુખ્ય બજાર બંધ કરવામાં આવ્યા છે અને તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરતા અવરજવર પર પ્રતિબંધ
કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરતા અવરજવર પર પ્રતિબંધ

આ પણ વાંચો : અમદાવાદમાં કુલ 253 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે અમલમાં

બસ સ્ટેન્ડ પાસે આવેલ આ વિસ્તારમાં મુખ્ય બજાર બંધ કરવામાં આવ્યું

લુણાવાડા મામલતદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા આ વિસ્તારને કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરતા બસ સ્ટેન્ડ પાસે આવેલ આ વિસ્તારમાં મુખ્ય બજાર બંધ કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે જેથી કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.

કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરતા અવરજવર પર પ્રતિબંધ

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના બેકાબૂ, 19 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.