ETV Bharat / state

પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અમથાણી દ્વારા શાકભાજી અને ફળોના વેપારીઓના RT-PCR સેમ્‍પલ લેવાયા

author img

By

Published : Aug 10, 2020, 10:48 PM IST

પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અમથાણી
પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અમથાણી

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અમથાણી દ્વારા શાકભાજી-ફળોના વેપારીઓના RT-PCR સેમ્‍પલ લેવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા અને કાછિયા સુપર સ્પ્રેડર ન બને તે માટે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

મહીસાગરઃ કોરોના મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજ અદા કરી રહ્યા છે. તેમ છતાં પણ હજૂ નાગરિકો તેને ગંભીરતાથી લઇ રહ્યા નથી.

નાગરિકોમાં ગંભીરતા આવે અને જાગૃત બને તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તેવા હેતુથી પ્રાથમિક આરોગય કેન્‍દ્ર અમથાણી દ્વારા તાલુકા હેલ્‍થ ઓફિસર અને આરોગ્‍યની ટીમની રાહબરી હેઠળ આરોગ્‍ય કર્મીઓ દ્વારા વેલણવાડા ગામના શાકભાજીની લારીઓ, કરિયાણાની દુકાનો, પંચરની દુકાન, પાન ગલ્‍લા, બધા વેપારીઓ તથા પ્રાઇવેટ ક્લિનીક સહિત કુલ 36 વ્‍યકિતઓના RT-PCR સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત આરોગ્‍ય કર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ, માસ્‍કની ઉપયોગિતા અને સેનિટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્‍ક પહેર્યા વગર આવતા દર્દીઓ અને ગ્રાહકોને માલ ન આપવા તેમજ સોશિયલ ડિસ્‍ટન્‍સિંગનું પાલન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.