ETV Bharat / state

મહિસાગર જિલ્લામાં આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30નું વિતરણ કરવામાં આવ્યું

author img

By

Published : Apr 14, 2021, 7:52 PM IST

હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ-30નાં 2,43,370 ડોઝ લોકોને નિ:શુલ્ક વિતરણ
હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ-30નાં 2,43,370 ડોઝ લોકોને નિ:શુલ્ક વિતરણ

રાજયમાં કોવિડ-19 સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી સ્વસ્થ રહેવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે નિયામક, આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા કલેક્ટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના આયુર્વેદ તેમજ હોમિયોપેથી તબીબો દ્વારા આયુર્વેદિક ઉકાળા, સંશમની વટી અને હોમિયોપેથી આર્સેનિક આલ્બમ-30નું વિતરણ સમગ્ર જિલ્લામાં શરુ કરવામાં આવેલું છે.

  • મહિસાગર જિલ્લાના સવા 4.50 લાખ ઉપરાંત લોકોને નિ:શુલ્ક ઉકાળા વિતરણ કરાયું
  • જિલ્લામાં 4,15,840 ડોઝ સંશમની વટી, 4,60,480 આયુર્વેદિક ઉકાળાનાં ડોઝનું વિતરણ
  • હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ-30નાં 2,43,370 ડોઝ લોકોને નિ:શુલ્ક વિતરણ

મહીસાગર: જિલ્લામાં ગામે ગામ કોરોના સામે સાવચેતી માટેના જન જાગૃતિ કાર્યક્રમને ઝુંબેશરૂપે આ સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કોરોના ગાઈડ લાઈનના પાલનની સાથે જે-તે ગામના સરપંચ, ગામના સ્વયંસેવકોના સહયોગથી ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પાટણમાં લાયન્સ ક્લબ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ

આયુર્વેદિક ઉકાળાનું થયું વિતરણ

લુણાવાડામાં કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ ઓફિસર દ્વારા સંશમની વટી તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના વિવિધ સ્થળોએ 4,15,840 ડોઝ સંશમની વટી તેમજ 4,60,480 આયુર્વેદિક ઉકાળાનાં ડોઝ પીવડાવવામાં આવ્યાં છે તથા હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ-30નાં 2,43,370 ડોઝ લોકોને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

આયુર્વેદિક ઉકાળાનું થયું વિતરણ
આયુર્વેદિક ઉકાળાનું થયું વિતરણ

આ પણ વાંચો: પાટીદાર કિસાન સેના દ્વારા પાટણમાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ

આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30નું વિતરણ

આયુર્વેદ અમૃતપેય ઉકાળા, સંશમની વટી તથા હોમિયોપેથી આર્સેનિક આલ્બમ-30નું સ્થળ ઉપર જઈને મહતમ લોકોને ઔષધિનો લાભ મળે તે હેતુથી વિનામૂલ્યે આ સેવા પુરી પાડવામાં આવી રહી છે. વિતરણની સંપુર્ણ કામગીરી મહિસાગર જિલ્લા આયુર્વેદ મેડિકલ ઓફિસર અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા પુરી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.