ETV Bharat / state

PM મોદી લેશે ભુજની મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારક અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ

author img

By

Published : Aug 21, 2022, 2:02 PM IST

PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ
PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ

સરહદી જિલ્લા કચ્છમાં આગામી 28મી ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવવાના છે, ત્યારે કાર્યક્રમની તૈયારીઓ આરંભી દેવાઈ છે. જિલ્લામાં સરકારી અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની બેઠકો પણ મળી રહી છે. વડાપ્રધાનની કચ્છ યુનિવર્સિટી પાછળના ગ્રાઉન્ડમાં સભા યોજાશે. વડાપ્રધાન વિવિધ સ્મારકના તેમજ પ્લાન્ટના લોકાર્પણ કરશે. PM Narendra Modi Will Visit Bhuj, PM Modi Will Inaugurate Various Monuments And Plant

કચ્છ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ સવારે ભુજ (PM Narendra Modi Will Visit Bhuj) આવી શકે છે અને ખાસ વિમાનમાં ભુજના હવાઇ મથકે આગમન કરશે. ભુજીયાની તળેટીમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવનનું નિરીક્ષણ કરી ભૂકંપગ્રસ્તોની યાદમાં બનેલા આ અનોખા પ્રવાસન ધામનું અને પોતાના ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ (PM Modi Will Inaugurate Various Monuments And Plant) કરશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એક બાજુ કલેકટર દ્વારા વહીવટી તંત્રની બેઠકો યોજાઇ રહી છે, ત્યારે બીજી બાજુ કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા પણ સમાંતર બેઠકો ચાલી રહી છે.

PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ
PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ

આ પણ વાંચો શું આમ ભણશે બાળકો? 100થી વધુ વિદ્યાર્થીઓ 10 કિમી ચાલીને પહોંચે છે શાળા

ભુજમાં વડાપ્રધાન કરશે વિવિધ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યા બાદ તેઓ કચ્છ યુનિવર્સિટીના સભા સ્થળે જશે. નર્મદાના પાણીનો મોડકુબા સુધી પ્રસ્થાન કરી કચ્છની નર્મદા યોજના સિંચાઈના પાણીની મહત્વકાંક્ષી યોજનાનો પણ પ્રારંભ કરાવશે. અંજારમાં વર્ષ 2001માં ભૂકંપમાં ખત્રી ચોકમાં પ્રજાસત્તાક દિવસની રેલી દરમિયાન 185 વિદ્યાર્થીઓ, 21 શિક્ષકો, બે પોલીસ જવાન અને ક્લાર્ક સહિતના લોકો કાટમાળ નીચે દબાઈ જઈ મૃત્યુ પામ્યા હતા તેમની યાદમાં નિર્માણ પામેલા વીર બાળભૂમિ સ્મારક તેમજ ચાંદરાણી પાસે સરહદ ડેરી દ્વારા નિર્માણ પામેલા 200 કરોડના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.

PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણPM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ
PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ

2 લાખથી વધારે લોકો થશે એકત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા મંડપમાં બે લાખ લોકોને એકત્ર કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએથી, માંડવી તાલુકા ભાજપ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, નગર સેવકોને લોકો એકત્ર કરવાનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે. આવનારા તમામ નાગરિકો માટે ખુરશીની બેઠકનુ આયોજન પણ કરવામાં આવશે. તેમજ ગામેગામ એસ ટી બસો મોકલવામાં આવશે.

PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ
PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ

આ પણ વાંચો ચાલુ ટ્રેનમાંથી ઉતરવું વૃદ્ધાને ભારે પડ્યુ, RPFની સતર્કતા કામ આવી

25મીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે આવશે વડાપ્રધાનની કચ્છ મુલાકાતને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ 25મી ઓગસ્ટના નિરીક્ષણ માટે આવી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાપ્રધાનનો કાર્યક્રમ સંભવિત 28મીએ યોજાશે. ત્યારે તે પહેલાં તૈયારીઓની જાણકારી મેળવવા 25મીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભુજ આવશે. મુખ્ય પ્રધાન સૌપ્રથમ ભુજિયા સ્મૃતિવનનું નિરીક્ષણ કરશે.

PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ
PM મોદી ભુજની લેશે મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારકના અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.