ETV Bharat / state

નડીયાદમાં વડાપ્રધાન મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શનનો પ્રારંભ

author img

By

Published : Sep 24, 2020, 9:35 AM IST

વડાપ્રધાન મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શન
વડાપ્રધાન મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શન

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નડીયાદ : જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવન ઝરમર રજૂ કરતા ચિત્રાત્મક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાગરિકો, વિદ્યાર્થીઓ અને કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંઘર્ષમય સફળ જીવનની પ્રદર્શની નિહાળી જીવનભાથું મેળવી શકે તેવા હેતુથી આ પ્રદર્શન યોજનામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શન
વડાપ્રધાન મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શન

ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદર્શનનું આજથી ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શન 15 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે.જેમાં નરેન્દ્ર મોદીના જીવનની બાલ્યકાળથી અત્યાર સુધીની ઐતિહાસિક વિગતો પ્રદર્શિત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શન
વડાપ્રધાન મોદીના જીવન પર ચિત્રાત્મક પ્રદર્શન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.