ETV Bharat / state

જૂનાગઢમાં કોરોના વાઈરસના ખતરાને લઈને સ્વામિનારાયણ મંદિરમાં માસ્ક ફરજિયાત

author img

By

Published : Mar 18, 2020, 4:23 AM IST

Updated : Mar 18, 2020, 4:45 AM IST

coronavirus  news
coronavirus news

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના વાઈરસના સંભવિત ખતરાને લઈને મંદિરમાં આરતી સમય દરમિયાન અને દર્શન વખતે પૂજારી હરિભક્તો અને સંતો માટે માસ્ક ફરજિયાત બનાવાયા છે.

જૂનાગઢઃ શહેરના સ્વામીનારાયણ મંદિરમાં કોરોના વાઇરસના સંભવિત ખતરો અને તકેદારીના ભાગરૂપે હવે સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં પૂજારીઓ હરિભક્તો અને સંપ્રદાયના સંતો માટે આજથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. ગુજરાત અને ખાસ કરીને જૂનાગઢમાં કોરોના વાઈરસને લઈને કોઈ ખતરો હજુ સુધી જોવા મળ્યો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે આ પ્રકારનું આયોજન આજથી અમલમાં બની રહ્યું છે.

જૂનાગઢમાં કોરોના વાઈરસના ખતરાને લઈને સ્વામિનારાયણ મંદિરમાં માસ્ક ફરજિયાત
જેના ભાગરૂપે મંદિર પરિસરમાં અને આરતીના સમયે પૂજારી હરિભક્તો અને સંપ્રદાયના સંતો માટે માસ્ક ફરજિયાત બનાવાયા છે. તેમજ સંભવિત કોરોનાના ખતરાને ટાળવા માટે દર્શન કરવા માટે મર્યાદિત લોકોએ અને સમયાંતરે આવવું તેમજ બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું 1 મીટર જેટલું અંતર રાખવું. આ સિવાય કોઈપણ બિમારીના કિસ્સામાં દર્શન કે અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળવુ તેવું અમલમાં આવી રહ્યું છે.
Last Updated :Mar 18, 2020, 4:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.