ETV Bharat / state

જુનાગઢમાં રસી મુકાવવા આવતાં લોકોને ઘોર નિરાશા, રસીકરણ કેન્દ્ર ગયાં તો ખબર પડી કે...

author img

By

Published : Dec 23, 2022, 9:13 PM IST

જુનાગઢમાં રસી મુકાવવા આવતાં લોકોને ઘોર નિરાશા, રસીકરણ કેન્દ્ર ગયાં તો ખબર પડી કે...
જુનાગઢમાં રસી મુકાવવા આવતાં લોકોને ઘોર નિરાશા, રસીકરણ કેન્દ્ર ગયાં તો ખબર પડી કે...

રાજ્યના આરોગ્ય વિભાગે (Rishikesh Patel claim on Vaccine )ગઈ કાલે સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન(Vaccination campaign )ને લઈને જે જાહેરાતો કરી હતી. તેને લઈને જૂનાગઢના લોકોમાં ભારે નિરાશા (Corona Update Junagadh ) જોવા મળી રહી છે. આજથી રસીકરણ શરૂ થશે તેવા ઉત્સાહ સાથે રસીકરણ કેન્દ્રમાં આવેલા લોકોએ રસી નહીં હોવાને કારણે (Lack of vaccine in junagadh primary health center )રસી નહીં મુકાવાથી ભારે નિરાશ થયા છે.

રસીકરણ કેન્દ્રમાં એક પણ રસીનો ડોઝ નહીં મળતાં નિરાશા

જુનાગઢ કોરોના સંક્રમણની સંભવિત ચોથી લહેરે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ વર્ષે ગુજરાત પાણી પહેલા પાળ બાધવાના મૂડમાં હોય તેવું ગઈકાલ સુધી જોવા મળ્યું હતું. ગઈકાલે રાજ્યના આરોગ્ય પ્રધાને (Rishikesh Patel claim on Vaccine ) આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ કોરોના સંક્રમણને કાબુમાં કરી શકાય (Corona Update Junagadh )તે માટેના આગમચેતીના પગલાંઓ આજથી સમગ્ર રાજ્યમાં શરૂ થશે તેવી ખૂબ જ આવકારદાયી જાહેરાત કરી હતી. જેમાં આજથી રસીકરણ અભિયાન (Vaccination campaign )પણ શરૂ થશે તેવી માહિતી લોકો સુધી પહોંચી હતી. જેને લઈને લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો. ચોથી સંભવિત લહેરને ખાળવા માટે લોકો રસીકરણ માટે ઉત્સાહપૂર્વક આગળ આવી રહ્યા છે .પરંતુ આજે રસીકરણ કેન્દ્રમાં એક પણ રસીનો ડોઝ નહીં (Lack of vaccine in junagadh primary health center ) હોવાથી નિરાશ લોકો રસીકરણ કેન્દ્રથી પરત ફરી રહ્યા છે.

આ પણ વાંચો કેન્દ્ર સરકારે કોરોના સામે લાલ આંખ કરી કહ્યું સાવચેતી જરૂરી, રાજ્યમાં BF7નો એક પણ એક્ટિવ કેસ નહીં

જુનાગઢમાં રસી મુકાવવા આવતાં લોકોને ઘોર નિરાશા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા પાંચ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસી લેવાની લઈને વહેલી સવારથી જ લોકો આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી રાજ્યના આરોગ્ય વિભાગે રસીનો એક પણ ડોઝ (Lack of vaccine in junagadh primary health center )પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચતો નથી કર્યો. તેને લઈને આજે રસીકરણ અભિયાન (Vaccination campaign ) શરૂ થઈ શક્યુ નથી. ખૂબ જ ઉત્સાહભેર ઘરેથી આવતા લોકો કોરોના રસીકરણને લઈને પહેલ કરી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે રસીનો એક પણ ડોઝ હજુ સુધી પહોંચતો નથી કર્યો. જેને લઈને લોકોમાં ખૂબ નિરાશા જોવા મળી છે. કેટલાક વયોવૃદ્ધ લોકો પણ રસીકરણને લઈને હવે જાગૃતિ દર્શાવી રહ્યા છે. પરંતુ રસી નહીં હોવાને કારણે તેમની આ જાગૃતિ આજે નિરાશામાં પરિણામી છે અને રસી નહીં મળવાનો વસવસો (Corona Update Junagadh ) સિનિયર સિટીઝને વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો કોરોના એલર્ટ : 27 ડિસેમ્બરે દેશભરમાં યોજાશે મોકડ્રીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.