કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરે ભાજપ પર લગાવ્યો આરોપ

author img

By

Published : Sep 21, 2021, 2:25 PM IST

કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરે ભાજપ પર લગાવ્યો આરોપ

રાજ્યનાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર આજે જૂનાગઢની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. જણાવ્યું કે, "કેન્દ્ર સરકારની નિષ્ફળતાને કારણે આખી રાજ્ય સરકાર બદલવી પડી".

  • જૂનાગઢ આવેલા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરનો કેન્દ્ર સરકાર પર મોટો આરોપ
  • ભાજપની નિષ્ફળતા છુપાવવા ગુજરાતની સરકારને બદલવી પડી તેવો કર્યો આક્ષેપ
  • જન સંવેદના યાત્રામાં પ્રજાનો રોષ સામે આવતા ભાજપ બન્યું છે બેબાકડું

જૂનાગઢ: રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેર આજે જૂનાગઢની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સાત પ્રધાનો જન સંવેદના યાત્રામાં પ્રજાનો જાકારો મળતાં તેનો રોષ રાજ્ય સરકાર પર ઠાલવીને ભાજપે આખી રાજ્ય સરકાર.ને બદલી નાખી છે પરંતુ પ્રજા હવે સમજી ગઈ છે અને ભાજપના હથકંડા આગામી ચૂંટણીમાં ઊંધા પડશે તેવો દાવો અમરીશ ડેરએ કર્યો છે.

કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરે ભાજપ પર લગાવ્યો આરોપ

આ પણ વાંચો: વડોદરા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે મોર્ચો માંડ્યો

રાજ્યનાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર આજે જૂનાગઢની મુલાકાતે હતા

રાજ્યનાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર આજે જૂનાગઢની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે અમરીશ ડેર એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કાઢવામાં આવેલી જન સંવેદના યાત્રામાં ગુજરાતમાં સાત પ્રધાનો ફરી વળ્યા હતા. જેમાં પ્રજાનો રોષ સામે આવતા ભાજપ બચાવની સ્થિતિમાં આવી ગયું હતું અને પ્રજાનો રોષ ખાળવા માટે તેમણે ગુજરાતની સરકારને ઘર ભેગી કરીને પ્રજા સમક્ષ સારું ચિત્ર રજૂ કરવાનું નિંદનીય પ્રયાસ કર્યો છે પરંતુ આગામી દિવસોમાં ગુજરાતની પ્રજા ભાજપની કથની અને કરણીને ધ્યાને રાખીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને તેનું સ્થાન ચોક્કસ બતાવશે.

આ પણ વાંચો: ધોરણ-12 સુધી ભણેલા કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા નવા પ્રધાનમંડળમાં સામેલ

હાવર્ડ યુનિવર્સિટીના સંશોધનને આગળ રાખીને અમરીશ ડેર રાજ્ય સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરી માગ

કોરોના સંક્રમણ કાળમાં ગુજરાતમાં અંદાજિત 2 લાખ કરતાં વધુ લોકોના મોત થયા છે. જેને કારણે અનેક પરિવારો આજે સંકટમાં જોવા મળી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાળમાં જે પ્રકારે મૃતકોનો આંકડો છુપાવવાનું પાપ કર્યું છે. તેને હાવર્ડ યુનિવર્સિટી એ ઉજાગર કર્યું છે તેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર વિરુદ્ધ આકરી દંડનીય કાર્યવાહી થાય તેવી માગ અમરીશ ડેર દ્વારા આજે જૂનાગઢમાં કરવામાં આવી છે. અમરીશ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણ કાળમાં લોકોને તબીબી સેવાઓ આપવામાં નિષ્ફળ રહી છે મૃતદેહના અંતિમ સંસ્કાર કરીને વિદ્યુત અને ગેસથી ચાલતી ભઠ્ઠીઓ પણ ઓગળી ચૂકી હતી આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર મૃતકોના ખોટા આંકડાઓને જાહેર કરીને માનવતા સાથે નિર્દયતા ભર્યું કૃત્ય આચર્યું છે. જેની સામે કોઇ કાર્યવાહી થાય તેવી માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.