ETV Bharat / state

ધર્મ અને પર્યટનના સુમેળથી પ્રવાસીઓ કરી રહ્યા છે નવા વર્ષની ઉજવણી

author img

By

Published : Dec 31, 2022, 9:45 PM IST

ધર્મ અને પર્યટનના સુમેળથી પ્રવાસીઓ કરી રહ્યા છે નવા વર્ષની ઉજવણી
ધર્મ અને પર્યટનના સુમેળથી પ્રવાસીઓ કરી રહ્યા છે નવા વર્ષની ઉજવણી

આજે વર્ષ 2022 નો અંતિમ દિવસે ગિરનાર પર્વત પરના ધર્મસ્થાનોએ (31st celebrations in Junagadh Girnar )લોકો પર્યટનની સાથે ધાર્મિક વાતાવરણમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો ગિરનાર રોપવે અને ગુરુ દત્તાત્રેય (Guru Dattatrey Temple )અને મા અંબાજીના મંદિર (Girnar Maa Ambaji Temple ) પર જોવા મળી રહ્યો છે.

લોકો પર્યટનની સાથે ધાર્મિક વાતાવરણમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે

ગિરનાર આજે વર્ષ 2002 નો અંતિમ દિવસ છે ત્યારે વર્ષના અંતિમ દિવસને ઉજવવા માટે લોકો તેમના પસંદગીના સ્થળો પર નવા વર્ષની ઉજવણી (31st celebrations in Junagadh Girnar ) કરવાની લઈને પહોંચી રહ્યા છે. આજે વહેલી સવારથી ભવનાથમાં સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પર બનેલા એશિયાના સૌથી લાંબા ઉડન ખટોલા (Udan Khatola ) રોપવે પણ ઉજવણી માટેનું એક પર્યટન સ્થળ બની રહ્યું છે.

આ પણ વાંચો નવા વર્ષના વધામણા પર પોલીસની બાજ નજર, કર્યો મોટો બંદોબસ્ત

મા અંબાજી અને ગુરુદત્તાત્રેયના મંદિરે દર્શન બીજી તરફ ગિરનાર પર્વત પર આવેલા મા અંબાજી અને ગુરુ દત્તાત્રેયના મંદિરે (Guru Dattatrey Temple )દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને યુવાનો પહોંચી રહ્યા છે. સામાન્ય રીતે નવા વર્ષની ઉજવણી કોઈ દરિયાઈ વિસ્તાર કે મનોરંજનના સ્થળ પર કરાતી હોય છે પરંતુ ખૂબ મોટી સંખ્યામાં લોકો ધર્મની સાથે પ્રાકૃતિક પર્યટનના સથવારે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

આ પણ વાંચો નવા વર્ષની શરૂઆતમાં અમૂલે આપી પશુપાલકોને ભેટ, દુધની ખરીદ કિંમતમાં વધારો

ઉજવણી લઈને લોકોએ આપ્યો પ્રતિભાવ નવા વર્ષની ઉજવણી ધાર્મિક અને પ્રાકૃતિક પર્યટન સ્થળ પર કરવા આવેલા પ્રવાસીઓએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો અમદાવાદથી આવેલી ખ્યાતિ ભટ્ટે જણાવ્યું હતું કે તેઓ મૂળ ગુજરાતી છે. પરંતુ ક્યારેય નવા વર્ષની દિવસે ગિરનાર પર્વત પર આવ્યા ન હતા અગાઉ તેઓ દક્ષિણ ભારતના અનેક પર્યટન સ્થળોની મુલાકાત નવા વર્ષને દિવસે કરી છે પરંતુ આજની તેમની આ પહેલી મુલાકાત ખરેખર ખૂબ જ અવિસ્મરણીય રહી હતી પર્યટનની સાથે મા અંબાજી અને ગુરુ દત્તાત્રેયના (Guru Dattatrey Temple )દર્શન કરવાનો લાહ્વો વર્ષના અંતિમ દિવસે મળી રહ્યો છે જેને લઈને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે. તો બીજી તરફ બેંગ્લોરથી આવેલી અશ્વિની કુલકર્ણીએ પણ તેમની ગિરનારની આ પ્રથમ અનુભવને ખાસ કરીને નવા વર્ષની શરૂઆત ગુરુદત્તાત્રેયના ચરણોથી થઈ રહી છે તેને ખૂબ જ ભાગ્યશાળી અવસર સાથે સરખાવી રહી છે. અશ્વિની પ્રથમ વખત નવા વર્ષની ઉજવણી કરવાની લઈને ગિરનાર પર આવી છે તે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અને ગુરુદત્તાત્રેયના દર્શન કરીને ખૂબ જ ધન્યતા મેળવી હતી.

યુવાનોએ પણ પસંદ કર્યું ગિરનાર નવા વર્ષની ઉજવણી કરવા માટે યુવાનોએ પણ ગિરનારની પ્રથમ પસંદગી કરી છે. અહીં એશિયાનો સૌથી લાંબો ઉડન ખટોલા ગિરનાર રોપવે બનાવવામાં આવ્યો છે. જેનો પ્રવાસ કરીને વિશ્વની એક રોમાંચકારી પ્રવાસની મજા પણ લોકો નવા વર્ષના દિવસે માણી રહ્યા છે તો બીજી તરફ ગિરનાર પર્વત પર શક્તિ સ્વરૂપે બેઠેલા માં અંબા (Girnar Maa Ambaji Temple ) અને જેને સમગ્ર જગતના ગુરુઓ ગુરુ માને છે તેવા દત્તાત્રે મહારાજની ચરણ પાદુકાના દર્શન કરવા માટે પણ યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે. જેને લઈને તેઓ આ વખતે નવા વર્ષની ઉજવણી દેવસ્થાનોના દર્શનની સાથે વિશ્વના સૌથી રોમાંચકારી રોપવેની સફર કરીને કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.