ETV Bharat / state

જામનગરમાં બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા તાલીમાર્થીઓ માટે 'મિશન ખાખી 2021' શરુ કરવામાં આવ્યું

author img

By

Published : Nov 18, 2021, 5:53 PM IST

જામનગરમાં બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા તાલીમાર્થીઓ માટે 'મિશન ખાખી 2021' શરુ કરવામાં આવ્યું
જામનગરમાં બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા તાલીમાર્થીઓ માટે 'મિશન ખાખી 2021' શરુ કરવામાં આવ્યું

2021માં મોટી સંખ્યામાં લોકરક્ષક દળની ભરતી(Recruitment of Lokarakshak Dal) બહાર પાડવામાં આવી છે. જેની પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાર્થીઓ(Examiners) તનતોડ મહેનત કરી રહ્યાં છે જેમાં ખાસ કરીને ફીઝીકલની તૈયારી(Physical preparation)ઓમાં વધું મહેનત કરી રહ્યાં છે. આ ભરતીમાં ઘણા યુવાનો અને યુવતીઓ એવા પણ છે કે જેમની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે યોગ્ય તાલીમ મેળવી સકતા નથી જે માટે આવા તાલીમાર્થીઓ માટો બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન(Bauddhisatv Foundation) જેવી સેવાકીય સંસ્થાઓ આશીર્વાદરુપ સાબિત થઇ છે, કારણ કે આ સંસ્થાએ મદદનો હાથ લંબાવ્યો છે અને ગામડામાં રહેતી ગરીબ ઘરની દીકરીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ ક્લાસ શરુ કર્યા(Started free of cost classes for the daughters of poor families) છે. આ ક્લાસમાં હાલ ફરજ બજાવતા અનુભવી ઓફિસરો દ્વારા ફિઝિકલ તથા લેખિત કસોટી માટે નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા તાલીમ(Training by expert professors) આપવામાં આવી રહી છે.

  • લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે તનતોડ મહેનત
  • બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા ખાસ મિશન 'ખાખી 2021' શરુ કરવામાં આવ્યું
  • આર્થીક સ્થિતિ સારી ન હોવા તેવાં યુવક-યુવતીઓ માટે મદદનો હાથ લંબાવ્યો

જામનગર: લોકરક્ષક દળની પરીક્ષા(Recruitment of Lokarakshak Dal) માટે બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન(Bauddhisatv Foundation) દ્વારા ખાસ મિશન 'ખાખી 2021(''Mission Khakhi 2021') શરુ કરવામાં આવ્યું છે. જેમાં લેખિત, ફિઝિકલ ટ્રેનિંગ(Physical training)ની તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. હાલ આ કલાસમાં 70 જેટલી ગરીબ ઘરની દીકરીઓ તાલીમ મેળવી(Started free of cost classes for the daughters of poor families) રહી છે. જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી રહેવા, જમવા તેમજ લાઈબ્રેરી વગેરે જેવી જરૂરી સુવિધાઓ એક પણ રૂપિયો લીધા વગર પુરી પાડવામાં આવી રહી છે.

જામનગરમાં બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા તાલીમાર્થીઓ માટે 'મિશન ખાખી 2021' શરુ કરવામાં આવ્યું

યુવાનોના સપના થશે સાકાર

ઘણા એવા પરિવારના યુવક-યુવતીઓ છે જેઓને ખાખી પહેરવાનું સપનું હોઈ છે પરંતુ યોગ્ય સગવડતા અને પ્રેરણાને અભાવે તેઓ સફળતા મેળવી સકતા નથી ત્યારે બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ આગળ આવી અને આર્થીક સ્થિતિ સારી ન હોવા તેવાં યુવક-યુવતીઓ માટે મદદનો હાથ લંબાવી સપનાઓ સાકાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

આ પણ વાંચો : મિશન ખાખી હેઠળ ગુજરાત પોલીસદળમાં ભરતીની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન અપાયું

આ પણ વાંચો : પોલીસ ભરતી પરીક્ષાના નિયમોમાં બદલાવ કરવા આપ્યું આવેદનપત્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.