આ સમયે ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ, મનપાના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને ફૂલોના હાર અને મીઠું મોં કરાવી શુભકામનાઓ પાઠવી હતી.
ખાસ કરીને શિક્ષણ સમિતિ હેઠળ આવતી શાળાના 10 હજાર બાળકો માટે આગામી સમયમાં શિક્ષણ સ્તર સારુ બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસો વધુ સફળ બનાવવા અને શિક્ષણ અંગેના વિકાસના કાર્યોની નેમ સાથે આ બંનેએ પદભાર સંભાળ્યું હતું. સાથે જ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ બંને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.