ETV Bharat / state

Veraval town and municipality: સોમનાથ નામકરણ કાર્યવાહી ઝડપી કરવા પાલીકા પરીષદ કેન્દ્ર અને રાજય સરકારને રજુઆત કરશે

author img

By

Published : Mar 29, 2022, 10:45 PM IST

Veraval town and municipality: સોમનાથ નામકરણ કાર્યવાહી ઝડપી કરવા પાલીકા પરીષદ કેન્દ્ર અને રાજય સરકારને રજુઆત કરશે
Veraval town and municipality: સોમનાથ નામકરણ કાર્યવાહી ઝડપી કરવા પાલીકા પરીષદ કેન્દ્ર અને રાજય સરકારને રજુઆત કરશે

નગર અને પાલિકાને સોમનાથ નામકરણ કરવાની કાર્યવાહી ઝડપી કરવા પાલીકા પરીષદ કેન્દ્ર અને રાજય સરકારને રજુઆત કરશે. આ સભા નગરપાલિકા પરિષદના પ્રમુખ પોપટલાલ S પટેલની અધ્યક્ષતામાં શરૂ થયા બાદ પ્રથમ કારોબારી સમિતિના સભ્યોની(Members of Executive Committee) બેઠક થયેલ.

વેરાવળ: નગર અને પાલિકાને સોમનાથ નામકરણ કરવાની કાર્યવાહી ઝડપી કરવા પાલીકા પરીષદ કેન્દ્ર(Palika Parishad Kendra) અને રાજય સરકારને રજુઆત(Present to State Government) કરશે. સોમનાથમાં ગુજરાત નગરપાલિકા પરિષદની(Gujarat Nagarpalika Parishad in Somnath) સાધારણ સભા અને વાર્ષિક બેઠક મળી. બેઠકમાં રાજ્યની પાલિકાઓના 170 હોદેદારો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા.

રાજ્ય સરકારને ભલામણ પત્ર સાથે રજુઆત કરવાનો પરીષદએ નિર્ણય કરેલ છે.
રાજ્ય સરકારને ભલામણ પત્ર સાથે રજુઆત કરવાનો પરીષદએ નિર્ણય કરેલ છે.

સોમનાથ સાનિધ્યે રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખ - ઉપપ્રમુખના સંગઠન એવા ગુજરાત નગરપાલીકા પરિષદની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને સોમનાથ નગરપાલિકા(Veraval Patan Joint Municipality) અને જોડીયા શહેરને સોમનાથ નગરનું નામકરણ કરવાના ઠરાવ અંગે કેન્દ્ર તથા રાજ્ય સરકારને ભલામણ પત્ર સાથે રજુઆત કરવાનો પરીષદએ નિર્ણય કરેલ છે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકા કારોબારી પરિષદની મીટીંગ દ્વારકા નગરપાલિકા ખાતે યોજાઈ

કોરોના કાળ બાદની આ પ્રથમ સભા - સોમનાથના યાત્રી સુવિધા કેન્દ્રમાં ગુજરાત નગરપાલિકા પરીષદની વાર્ષિક સાધારણ સભા વેરાવળ પાલિકાના યજમાન પદે(Host position) મળી હતી. આ સભા નગરપાલિકા પરિષદના પ્રમુખ પોપટલાલ S પટેલની અધ્યક્ષતામાં શરૂ થયા બાદ પ્રથમ કારોબારી સમિતિના સભ્યોની(Members of Executive Committee) બેઠક થયેલ અને ત્યારબાદ પરિષદના પ્રમુખ તથા સદસ્યઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભા શરૂ થઈ હતી. જેમાં કોરોના કાળ બાદની આ પ્રથમ સભામાં વિશ્વમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓ, સ્વર કિન્નરી અને ભારતરત્ન સ્વ. લતા મંગેશકર તથા યુક્રેન ખાતે યુદ્ધમાં ભારતના બે વિદ્યાર્થીઓના અકાળે થયેલ અવસાન સબંધે બે મિનિટનું મૌન રાખી તમામ સદગતના આત્માને શાંતિ આપવા પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Somnath Amrutdhara Mahotsav: સોમનાથમાં પાંચ દિવસનો અમૃતધારા સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

કેન્દ્ર સરકારમાં જરૂરી ભલામણ પત્ર લખવા પણ નિર્ણય લેવાયેલ - ત્યારબાદ સભાની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં પ્રમુખસ્થાનેથી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા તેમના 30 માર્ચ 2022ના બોર્ડના થયેલ સોમનાથ નગરપાલિકા અને સોમનાથ નગરના નામકરણ બાબતના ઠરાવને વંચાણે લેવામાં આવેલ અને આ ઠરાવને સભામાં ઉપસ્થિત તમામ સભ્યોએ ઉમળકાથી વધાવીને અનુમોદન આપેલ હતુ. પરિષદ દ્વારા સોમનાથ નગર અને સોમનાથ નગરપાલિકાના નામકરણ તુરંત થાય એ બાબતે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં જરૂરી ભલામણ પત્ર લખવા પણ નિર્ણય લેવાયેલ હતો. સભાની કાર્યવાહી મુજબ નગરપાલિકાના વહીવટને લાગતા નાના મોટા પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

કાર્યક્રમનું સંચાલન વેરાવળ પાલિકાના સેક્રેટરીદિગંત દવેએ કરેલ - આ કાર્યક્રમમાં રાજ્યની અલગ અલગ પાલિકાઓમાંથી કુલ 27 નગરપાલિકાના પ્રમુખ તથા અન્ય પાલિકાના પ્રતિનિધિઓ મળી કુલ 170 પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ રાજ્યની 157 નગરપાલિકાઓના પ્રમુખઓની પરિષદના વાર્ષિક સાધારણ સભા યોજવાનું યજમાન પદ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ યોજેલ હતું. કાર્યક્રમનું સંચાલન વેરાવળ પાલિકાના સેક્રેટરી દિગંત દવેએ કરેલ હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.