નરેન્દ્ર મોદીના 72 મા જન્મદિવસની સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ ઉજવણી

author img

By

Published : Sep 17, 2021, 7:53 PM IST

Narendra Modi's birthday

દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના 72 મા જન્મદિવસની સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરુવારે વિશેષ ઉજવણી કરવામાં આવી છે. જેમાં ખાસ માર્કંડેય પૂજા, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

  • સોમનાથ મંદિર ખાતે નરેન્દ્ર મોદીના 72 મા જન્મદિવસની ઉજવણી
  • ખાસ માર્કંડેય પૂજા, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા
  • ધાર્મિક કાર્યકમો પણ યોજવામાં આવ્યા

ગીર સોમનાથ: આજે દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 72 મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસની દેશ અને રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં પણ અધ્યક્ષ પડે સેવા આપી રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે વિશેષ ઊજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણચન્દ્ર લહેરી દ્વારા માર્કન્ડેય પૂજા, અષ્ટાધ્યાયી રૂદ્રાભિષેક પૂજન, આયુષ્ય મંત્રજાપ તથા રાષ્ટ્ર સુક્ત મંત્ર પઠન, સહીતના ધાર્મિક કાર્યકમ યોજવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદીના 72 મા જન્મદિવસની સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ ઉજવણી

આ ઉપરાંત સોમનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાશે

સોમનાથ યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે નરેન્દ્ર મોદીના નાનપણથી માંડી અત્યાર સુધીની લાક્ષણિક તસ્વીરોની સુરતના કલાકારો દ્વારા વિશિષ્ટ પેન્સિલ ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. જે તમામ ચિત્રોની પ્રદર્શની પણ રાખવામાં આવી છે. જે ચિત્ર પ્રદર્શન નાના બાળકો અને યાત્રિકો નિહાળી પ્રભાવિત બન્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.