Gandhinagar Crime: મહિલાની સાથે લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરતા નોંધાઇ ફરીયાદ

author img

By

Published : Jan 17, 2023, 11:30 AM IST

Updated : Jan 17, 2023, 5:36 PM IST

Gandhinagar Crime: મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરતા ફરીયાદ

ગાંધીનગર જિલ્લા પોલીસમાં ધર્મ પરિવર્તનની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કોલવડા ગામની મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરાયું હોવાનો મામલો સામે આવ્યો છે. વિધર્મી યુવકે મહિલા સાથે વારંવાર મજબુરીનો લાભ લઈ સંબંધો બાધ્યા હોવાની વાત સામે આવી છે. મૌલવી સહિત 8 શખ્સો સામે ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર:ગુજરાત સરકારે લવ જેહાદ માટે વિધાનસભા ગૃહમાં કડક કાયદો હાથ ધર્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં જ લવજેહાદ જેવી ધર્માતરણ જેવી ઘટના સામે આવી છે. જેમાં 35 વર્ષીય મહિલા સાથે મિત્રતા કેળવી અમદાવાદ બોલાવીને ધાકધમકી આપીને લગ્ન કાર્ય બાદ ધર્મ પરિવર્તન માટે હેરાન પરેશાન કરતા મહિલાએ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં 8 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Gandhinagar Crime

આ પણ વાંચોઃ How DGP is appointed: આશિષ ભાટિયા પછી 1 ફેબ્રુઆરીના દિવસે રાજ્યને મળશે નવા DGP

સંપર્ક થયોઃ ગાંધીનગર જિલ્લાની પેથાપુર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે 35 વર્ષે મહિલાના લગ્ન વરસોડા ગામે કરવામાં આવ્યા હતા. આ લગ્ન થકી મહિલાને ત્રણ સંતાનો પણ હતા પરંતુ લગ્નજીવન બરાબર ચાલતું ન હતું અને પારંપારિક જીવનમાં ઝઘડા થવાના કારણે યુવતી પોતાના માતાના ઘરે આવી હતી. માતાના ઘરે પણ પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તે તેમની માતા સાથે સેક્ટર 26માં કચરા પોતું કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન સેક્ટર 26માં આવેલ એક બ્યુટી પાર્લરની યુવતીએ આ મહિલા અને વિધર્મીનો સંપર્ક કરાવ્યો હતો.

લગ્ન કર્યાઃ પેથાપુર પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદ પ્રમાણે યુવતી અને વિધર્મી યુવકની મુલાકાત વધવા લાગી હતી. જેના કારણે તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બંધાવવાના કારણે લગ્ન જીવનમાં વધુ ખતરાગ આવી ગયો અને અંતે છૂટાછેડા નો વારો આવ્યો છૂટાછેડા થયા બાદ યુવતી નો જન્મદિવસ આવતા જ વિધર્મી યુવકે તેને અમદાવાદ સરપ્રાઈઝ પાર્ટી આપવા માટે બોલાવી હતી અને ત્યારે જ મસ્જિદમાં લઈ જઈને ધાક ધમકી આપીને લગ્ન કર્યા હતા.

આ પણ વાંચોઃ Illegal constructions of GIDC : ગેરકાયદે બાંધકામ થશે કાયદેસર, પણ સંખ્યા વિશે સરકાર ચૂપ

પોલીસ ફરિયાદ થઈઃ મુખ્ય આરોપી ઈસ્માઈલ બાદલ ખાન મલેક ની વાત કરવામાં આવે તો તે મૂળ જૂહાપુરા અમદાવાદનો રહેવાસી છે પરંતુ તેનું મુખ્ય ગામ ગેડીયા દસાડા તાલુકાનો વતની છે, જ્યારે ગાંધીનગર સેક્ટર 26 ખાતે આવેલ બ્યુટી પાર્લર ની સંચાલિકા છે તે અને આ મુખ્ય આરોપી ઈસ્માઈલ બાદલખાન એ એકબીજાને અંતરમાં ભાઈ બેન માને છે અને બ્યુટી પાર્લર ની સંચાલિત આ 35 વર્ષે યુવતીનો સંપર્ક કરાવ્યો હતો જ્યારે આ સંપર્ક દરમિયાન તેઓ ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ આવેલા ગેસ્ટ હાઉસમાં જઈને શારીરિક સંબંધ પણ બાંધ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.

ધમકી દેવાઈઃ અમદાવાદની એક મસ્જિદમાં બળજબરીપૂર્વક લગ્ન કર્યા બાદ ઈસ્માઈલ મલિક વારે ઘડીએ યુવતીને ધર્મ પરિવર્તનનું દબાણ કરવામાં આવતું હતું જ્યારે વર્ષે સપ્ટેમ્બર 2020 માં યુવતીના તેના પતિ સાથે છૂટાછેડા થયા બાદ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે પણ વિધર્મી યુવક દબાણ કરતો હતો અને ઓક્ટોબર 2020 માં જુહાપુરામાં લઈ ગયો હતો અને તેના ઘરે તેના મિત્ર અમદાવાદ બાબાખાન કાદરખાન અને એક મૌલિની હાજરીમાં બળજબરીક પૂર્વક લગ્ન પણ કરી લીધા હતા ત્યાર પછી ઘરે આવીને યુવતીએ આવા લગ્ન ખોટા હોવાનું કહેતા તેના બાળકો ભાઈઓ સહિત મારી નાખવાની ધમકી ધર્મીઓ દ્વારા આપવામાં આવતી હતી.

આ પણ વાંચોઃ Stray cattle problem: રાજ્યમાં 50 હજારથી વધુ રખડતા ઢોરોનું ખસીકરણ થશે

પેથાપુર પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે કદ મોડી રાત્રે જ મુખ્ય આરોપી ઈસ્માઈલ બાદલખાન મલેક ની ધરપકડ કરી છે જ્યારે ધર્મ પરિવર્તન અંગેની તાગ ધમકી આપતા તેના મિત્ર બાબા ખાન કાદરખાન અને મોલવી સહિત કુલ સાત લોકોની ધરપકડ બાબતની તજવીજ ગાંધીનગર પોલીસે હાથ ધરી છે.

Last Updated :Jan 17, 2023, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.