ETV Bharat / state

Somnath Trust: સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરીથી PM મોદીની વરણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 10:20 PM IST

Etv Bharat
Etv Bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરીથી PM મોદીની વરણી કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટ 122મી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વડાપ્રધાન મોદી આવનારા પાંચ વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2023 24 માટે ઓડિટરને એક વર્ષ માટે ફરીથી નિમણૂક કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર હવે ફક્ત સોમનાથના દર્શન નહીં પરંતુ સાથે સાથે ભાલકા મંદિર અને શ્રી રામ મંદિરના લાઈવ દર્શન માટેની પણ સુવિધાઓ શરૂ કરવાનો નિર્ણય આજની બેઠકમાં કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર જણાવ્યું કે, ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમે ટ્રસ્ટની કામગીરીને લગતા વિવિધ પાસાઓની ચર્ચા કરી. અમે મંદિર સંકુલ માટે અદ્યતન ટેકનોલોજીનો લાભ કેવી રીતે લઈ શકીએ તેની સમીક્ષા કરી જેથી તીર્થયાત્રાનો અનુભવ વધુ યાદગાર બની રહે. તેમજ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતા વિવિધ પર્યાવરણને અનુકુળ પગલાંની સમીક્ષા કરી હતી.

  • Chaired a meeting of the Shree Somnath Trust in Gandhinagar. We discussed various aspects relating to the working of the Trust. Reviewed how we can leverage latest technology for the Temple complex so that the pilgrimage experience will be even more memorable. Also took stock of… pic.twitter.com/A21iyVg1qo

    — Narendra Modi (@narendramodi) October 30, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટેકનોલોજીમાં સોમનાથ ટ્રસ્ટે સિદ્ધિ હાંસલ કરી: આજની બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ટેકનોલોજી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 14 મહિનામાં 124 કરોડ લોકોએ લાઈવ દર્શનમાં જોડાયા હતા. જ્યારે સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટના મારફતે રચનાકીય કે જેઓ સોમનાથની મુલાકાતે આવતા હોય છે તે પહેલાં જ તેમને રૂમની બુકિંગની વ્યવસ્થા પૂજા વિધિ માટે રજીસ્ટ્રેશન અને દાન પણ ઓનલાઇન આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઈ કોમર્સના માધ્યમથી ભગવાન સોમનાથ અને માતા પાર્વતીને જે વસ્ત્રો પહેરાવવામાં આવે છે તેની પણ ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીયએ છે કે 21 દેશોના શ્રદ્ધાળુઓ વર્ચ્યુઅલ પૂજાના માધ્યમથી એક મંચ ઉપર પણ જોડાયા હતા.

સોમનાથના ચડાવેલ જળનું પ્રસાદી તરીકે વેચાણ: આજની સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં જે અભિષેક કરવામાં આવે છે તે પાણીને ત્રણ સ્તરો પર ટ્રીટમેન્ટ કરીને સોમ ગંગાના રૂપમાં કાચની બોટલમાં પેક કરીને તેને પ્રસાદી તરીકે આપવામાં આવે છે. જ્યારે અત્યાર સુધીમાં 9,47,14,100 લીટર પાણીને શુદ્ધ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં 17.40 લાખથી વધારે ભક્તોએ ભોજનનો લાભ ઉઠાવ્યો છે. સાથે જ સોમનાથ મંદિરમાં ભક્તો દ્વારા 2600 કિલો કેરીના પ્રસાદ આપવામાં આવ્યો હતો. તે વેરાવળ તાલુકાના 10,000 થી વધુ આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આમ સોમનાથમાં સુવિધાઓ વધવાના કારણે પ્રતિ વર્ષ એક કરોડ લોકો સોમનાથ મંદિરે મુલાકાત આવતા હોવાનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

  1. Saradar Patel's Birth Anniversary: સરદાર પટેલની તુલના વિશ્વના કોઈ નેતા સાથે થઈ શકે નહીંઃ કૉંગ્રેસ
  2. PM Modi in Gujarat: ગુજરાતમાં સ્થિર અને પૂર્ણ બહુમતની સરકાર હોવાથી અનેક મહત્વના નિર્ણયો લેવાયા - PM મોદી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.