ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,197 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 1047 ડિસ્ચાર્જ, 17 મોત, કુલ સંખ્યા 90,139

author img

By

Published : Aug 26, 2020, 8:47 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,197 કોરોના કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 90 હજારને પાર પહોંચી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,197 કોરોના કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 90 હજારને પાર પહોંચી

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1,197 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાયરસના કુલ 90,139 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. બુધવારના રોજ 1,097 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

ગાંધીનગર: ગુજરાત કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બુધવારના રોજ વધુ 1,197 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. ઉપરાંત કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરી સંક્રમણને ફેલાતું અટકાવવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 168, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 144, વડોદરા કોર્પોરેશનમાં 90, સુરતમાં 85, રાજકોટ કોર્પોરેશનમાં 77, જામનગર કોર્પોરેશનમાં 79, અમરેલીમાં 34, વડોદરામાં 34, પંચમહાલમાં 31, ભરૂચમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 27, કચ્છમાં 24, બનાસકાંઠામાં 23, ગાંધીનગરમાં 23, રાજકોટમાં 22, મહેસાણામાં 21, પાટણમાં 21, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, અમદાવાદમાં 19, દાહોદમાં 19, ભાવનગરમાં 18, મોરબીમાં 17, ગીર સોમનાથમાં 16, સોમનાથમાં 16, જુનાગઢમાં 15, જુનાગઢ કોર્પોરેશનમાં 14, ખેડામાં 14, નર્મદામાં 12, પોરબંદરમાં 12, દેવભૂમિ દ્વારકામાં 11, મહીસાગરમાં 10, જામનગરમાં 9, આણંદમાં 8, છોટાઉદેપુરમાં 8, તાપીમાં 8, નવસારીમાં 7, સુરેન્દ્રનગરમાં 7, બોટાદમાં 6, સાબરકાંઠામાં 6, વલસાડમાં 6, અરવલ્લીમાં 2 અને ડાંગમાં 1કોરોના કેસ સામે આવ્યો છે.

જ્યારે 86 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2,947 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 30,682 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. જ્યારે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ નોંધાઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.