ETV Bharat / state

રાજ્યના 285 ગામમાં 'તીડનો ત્રાસ', સરકાર ચૂકવશે 31.50 કરોડની સહાય

author img

By

Published : Jan 7, 2020, 5:23 PM IST

Banaskantha
બનાસકાંઠા

ગાંધીનગર: બનાસકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી તીડે ખેડૂતોના ઊભા પાક પર આક્રમણ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી દવાનો છંટકાવ કરીને તીડના આક્રમણ પર રોક લગાવવામાં આવી હતી. જોકે બનાસકાંઠાના પાટણ જિલ્લામાં તીડના આક્રમણથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. ત્યારે રાજ્યના કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે, નુકસાનગ્રસ્ત વિસ્તારોનો સર્વે થઈ ચૂક્યો છે. જેમાં રાજ્ય સરકારે રૂપિયા 31.50 કરોડની સહાયની જાહેર કરી છે. જે ટૂંક સમયમાં ખેડૂતોને ચૂકવવામાં આવશે.

રાજ્યના કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ તીડથી થયેલા નુકસાન અંગે જણાવ્યું હતું કે, બનાસકાંઠાના તાલુકાઓમાં તીડથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તીડને કારણે જીરું, બાજરો અને એરંડાના પાકને મોટું નુકસાન થયું છે. આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ સકારાત્મક વલણ રાખીને 15 તાલુકાના 285 ગામના ખેડૂતોને નુકસાન બદલ સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રતિ 2 હેકટર દીઠ રૂપિયા 37 હજારની સહાય SDRFના નિયમ પ્રમાણે ચૂકવવામાં આવશે. SPFના નિયમ પ્રમાણે 30 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા જ ખેડૂતોને સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 11 હજાર જેટલા ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં સહાય ચૂકવવામાં આવશે. આ માટે ખેડૂતોએ ફક્ત સાદી અરજી કરવાની રહેશે.

બનાસકાંઠાના ખેડૂતો માટે રૂપિયા 31.50 કરોડની સહાય
Intro:approved by panchal sir


નોંધ : બાઈટ લાઈવમાં મોકલી છે.... આર.સી. ફ્લદુની બાઈટ લેવી..


ગાંધીનગર : બનાસકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી નું આક્રમણ થયું હતું જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી દવાનો છંટકાવ કરીને નું આક્રમણ રોકી દેવામાં આવી પરંતુ બનાસકાંઠાના પાટણ જિલ્લામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું રાજ્ય સરકારે સ્વીકારી છે ત્યારે રાજ્યના કૃષિ પ્રધાન આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નુકસાનગ્રસ્ત વિસ્તારોનો સર્વે થઇ ચૂક્યો છે જેમાં રાજ્ય સરકારે 31.50 કરોડની સહાય પણ જાહેર કરી છે જે ટૂંક સમયમાં ખેડૂતોને આપવામાં આવશે.


Body:રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ પીર ના આગમનમાં થયેલ નુકસાન બાબતે જણાવ્યું હતું કે બનાસકાંઠા ના તીર અને પાટણના દે તાલુકાઓમાં ભારે નુકસાન થયું છે આમ કુલ ૧૫ તાલુકામાં તીર ના કારણે જીરું બાજરો એરંડા ના પાક માં મોટું નુકસાન થયું છે આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ સકારાત્મક વલણ રાખીને 15 તાલુકાના 285 ગામના ખેડૂતોને નુકસાન બદલ સહાય ચૂકવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પ્રતિ 2 હેકટર દીઠ 37,000ની સહાય એસ ડી આર એફ ના નિયમ પ્રમાણે ચૂકવવામાં આવશે.. એસપીએફ ના નિયમ પ્રમાણે ૩૦ ટકાથી વધુ નુકસાન થશે તેવા જ ખેડૂતોને સહાય આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 11 હજારની આસપાસ ખેડૂતોનો સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી ટૂંક સમયમાં જ સહાય ચૂકવવામાં આવશે જ્યારે ખેડૂતોને ફક્ત સાદી અરજી કરવાની રહેશે...

જ્યારે હેલ્મેટ મુદ્દે પણ રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ ચૂપ રહેવાનો જ નિર્ણય કર્યો હતો પરંતુ રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત થશે કે નહીં તે અંગે જવાબ આપવાનું પણ ટાળ્યું હતું..


બાઈટ... આર.સી. ફળદુ (કૃષિપ્રધાન)


Conclusion:ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ બધા અત્યારે રાજ્યમાં ખાતરની પણ અછત હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકારે ખાતરનું તે જણાવ્યું હતું કે રાજ્ય પાસે પૂરતા પ્રમાણમાં ખાતર છે જ્યારે ફાળવણી પણ સતત રીતે થઈ રહી છે વાસ્તવમાં ખેતરની કોઈ જ પ્રકારની અછત નથી અને આવી ફરિયાદો પણ ખેડૂતો પાસેથી આવી નથી..

વોક થ્રુ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.