ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ શરૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં તેમણે ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને કૃષિલક્ષી જાહેરાત કરી છે.
જાણો કૃષિલક્ષી બજેટ....
- રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે ધિરાણ આપવા માટે રૂપિયા ૧૦૦૦ કરોડની જોગવાઈ,
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7430 કરોડની જોગવાઈ
- કેન્દ્ર સરકારે પાક વીમો મરજિયાત કર્યો છે પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હોય તેમને મદદ કરશે
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૩૦૦ કરોડની જોગવાઈ,
- મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત રૂપિયા ૩૦૦ કરોડની જોગવાઈ, એકમ દિથ 30,000 ની સહાય,
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત 29,000 ખેડૂતોને ટ્રેકટર દિઠ 45,000 થી 60,000 ની સહાય માટે 235 કરોડ ની જોગવાઈ
- ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના 72 કરોડ ની જોગવાઈ
- ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે 12 કરોડ ની જોગવાઈ
- ગુજરાતના બજેટનુ કદ 2.17,287 કરોડ
- ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના 48 લાખ ખેડૂતોને રૂ.3186 કરોડ સહાય ખેડૂતના ખાતામાં સીધી જમા થઈ છે
- ઈઝ ઓફ ડુઈગ બિઝનેસ માં 43 ટકા સ્ટાર્ટ અપ ગુજરાતમાં
- સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 40 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી
- પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમી મા ગૌજરાત મોટુ યોગદાન આપશે
- સૌનો સાથ સૌનો વિકાસ સૌના વિશ્વાસને કેન્દ્ર સ્થાને રાખી અંદાજ પત્ર તૈયાર કરાયુ
- પાક વીમા યોજના કેન્દ્ર સરકારે ફરજિયાતમાંથી મરજિયાત કરી છે
- જે વીમા પ્રિમિયમ ભરવા માટે ગુજરાત સરકારે રૂપિયા 1190 કરોડની જોગવાઈ કરી છે
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૭,૪૨૩ કરોડની જોગવાઈ
- વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે
- રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે ૨,૩૯,૦૦૦ કરોડનું ટુંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ
- ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન - ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ૩૦,૦૦૦ સહાય આપવામાં આવશે
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૨૪૫ ,૦૦૦ થી ૨૬૦,૦૦૦ની સહાય
- તેમજ આશરે ૩૨,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૨૩૫ કરોડની જોગવાઈ
- ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૨૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે
- લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે.
- આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે ૪૫૦ કરોડની જોગવાઇ
- ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે પ્રથમ તબકકે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા ૨૩૦ કરોડની જોગવાઈ
- એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા ૨૩૪ કરોડની જોગવાઈ
- ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવામાં આવશે, જે માટે ૧૦ કરોડની જોગવાઇ
બાગાયત
- - ફળફળાદી, શાકભાજી બગડી ન જાચ તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે, આવા અંદાજે ૬૫ હજાર છૂટક વેચાણકારો માટે ૨૮ કરોડની જોગવાઇ
- - ઇ - નામાં સાથે સાંકળી બાગાયતી ઉત્પાદનોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા રૂ ૨૫ કરોડની જોગવાઈ
- - બાગાયતી પાકના મૂલ્ય વર્ધન માટે કૌશલ્ય વર્ધન અંગેની તાલીમ આપવા ૬ કરોડની જોગવાઈ
- - જામનગર જિલ્લામાં નવું સેન્ટર ઓફ એકસલેન્સ ઊભું કરવા રૂ ૨ કરોડની જોગવાઇૉ
- - કૃષિ યુનિવર્સીિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ ૭૫૦ કરોડની જોગવાઈ