ETV Bharat / state

Gandhinagar News : સીએમ ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યો માટે 1646 કરોડ ફાળવ્યાં, 3 મહાનગરપાલિકાને લાભ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 3:59 PM IST

Gandhinagar News : સીએમ ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યો માટે 1646 કરોડ ફાળવ્યાં, 3 મહાનગરપાલિકા લાભ ખાટી
Gandhinagar News : સીએમ ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યો માટે 1646 કરોડ ફાળવ્યાં, 3 મહાનગરપાલિકા લાભ ખાટી

મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે 1646 કરોડની ફાળવણીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. જેમાં વડોદરા, સુરત અને જામનગર એમ 3 મહાનગરપાલિકા લાભ ખાટી છે. આ ત્રણેય મનપાના વિકાસ કાર્યો માટે કુલ 414 કામો માટે કુલ 1646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 3 મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના 414 કામો માટે કુલ 1,646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે.

શહેરી વિકાસનો હેતુ : આ નિર્ણય મુજબ વડોદરા મહાનગરપાલિકાએ 2023-24ના વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં 47 કામો માટે રૂ.184.09 કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તે મંજૂર કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 2023-24ના વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના 101, સામાજિક આંતર માળખાકીય સુવિધાના 78, અર્બન મોબિલિટીના 21 અને આગવી ઓળખના બે એમ 202 કામો માટે રૂપિયા 1029.55 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યપ્રધાને મંજૂર કરી છે.

જામનગર શહેરમાં સડકના 25 કામ : જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટકમાંથી 70.31 કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક - માર્ગોના 25કામો માટે ફાળવવા અંગે કરી હતી. આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને 138 કામો માટે રૂ. 348.20 કરોડની દરખાસ્ત મુખ્યપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરપાલિકાની આ દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

હેરિટેજ સાંકળ પ્રોજેક્ટ : એટલું જ નહીં, જામનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામ અન્‍વયે જામનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી લાખોટા કોડા - ભૂજીયા કોડા - ખંભાળીયા દરવાજા હેરિટેજ સાંકળ પ્રોજેક્ટ માટે 13 કરોડ રૂપિયાની દરખાસ્ત કરી હતી. જામનગર શહેરમાં ઐતિહાસિક ઈમારત એવા માંડવી ટાવરના રિસ્ટોરેશન એન્‍ડ કન્‍ઝર્વેશન પ્રોજેક્ટ માટે પણ રૂ. 1.25 કરોડની દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા આગવી ઓળખના કામો માટે મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હતી. આ બેય દરખાસ્તોને અનુમોદન આપતાં જામનગર મહાનગરપાલિકાને રૂ. 14.25 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આગવી ઓળખના કામો માટે ફાળવાશે.

2009માં શરૂ થઈ હતી યોજના : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રાજ્યમાં વધતા જતા શહેરીકરણ અને તેના કારણે ઉપસ્થિત થયેલા પડકારોને પહોંચી વળવા રાજ્યની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન તરીકે 2009માં શરૂ કરાવેલી યોજના છે.

આ પ્રકારના કામ માટે નાણાંની ફાળવણી : આ યોજનામાં મુખ્યત્વે રસ્તા, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન તેમજ શાળાનાં મકાનો, હોસ્પિટલ, આંગણવાડી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપરાંત શહેરી બસ સેવા, રેલ્‍વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ, રિંગરોડ, ફ્લાય ઓવર બ્રિજ, હેરિટેજ પ્રવાસન, રિવરફ્રન્ટ, સીટી બ્યુટીફિકેશનના કામો અને આગવી ઓળખના કામો જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ ઝડપી બનાવાયો : 2012થી અત્યાર સુધીમાં સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. 2,689 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ.1,008.18 કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 348.83 કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજિક આંતરમાળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવવામાં આવેલાં છે.

  1. લ્યો માર્ગોની તાત્કાલિક મરામત માટે વધુ 97 કરોડ 50 લાખની ગ્રાન્ટ ફાળવી, કોને મળશે લાભ જૂઓ
  2. પાટણમાં નગરપાલિકા દ્વારા 17 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ કરાયું
  3. Jamnagar News : 1404 આવાસના રીડેવલપમેન્ટ સહિત 7.80 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપતી જામનગર મનપા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.