ETV Bharat / state

અ'વાદ-સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ, સચિવાલયમાં માસ્ક વગર 'નો એન્ટ્રી'

author img

By

Published : Dec 26, 2022, 2:21 PM IST

અમદાવાદ અને સુરત એરપોર્ટ પર પ્રવાસીઓનું કોરોના ટેસ્ટિંગ શરૂ, 80 પ્રવાસીઓના કરાયા ટેસ્ટ
અમદાવાદ અને સુરત એરપોર્ટ પર પ્રવાસીઓનું કોરોના ટેસ્ટિંગ શરૂ, 80 પ્રવાસીઓના કરાયા ટેસ્ટ

રાજ્યમાં કોરોનાને લઈને આરોગ્ય વિભાગ (Health Department Gujarat) સચેત થઈ ગયું છે. ત્યારે હવે અમદાવાદ અને સુરત એરપોર્ટ (Surat International Airport) પર પ્રવાસીઓનું કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો અમદાવાદ એરપોર્ટ (Covid Testing at airport) પર અત્યાર સુધી 77 જેટલા પ્રવાસીઓના ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યા છે.

કેન્દ્ર સરકાર પાસે જથ્થો મગાવાયો

ગાંધીનગર સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરીથી આતંક (Covid Cases in World ) મચાવ્યો છે. ચીન (Covid Cases in China) સહિત અન્ય દેશોમાં તો કોરોનાની ચોથી લહેર પણ સામે આવી છે. ત્યારે ભારત દેશમાં અને ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર ન આવે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ (covid guidelines health ministry) બહાર પાડી છે.

ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગ શરૂ આ ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટીંગ (Covid Testing at airport) માટેની પ્રક્રિયા હાથ ધરી છે. 24 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યાથી જ અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ (Health Department Gujarat) શરૂ કરવામાં આવ્યા છે.

આટલા ટેસ્ટ થયા એરપોર્ટ પર ગુજરાત સરકારના આરોગ્ય અધિક નિયામક (Health Department Gujarat) નીલમ પટેલે જણાવ્યું હતું કે, 10થી વધુ દેશોમાં કોરોનાની ચોથી લહેર સામે આવી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ સાવચેતીના ભાગરૂપે તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના નિયમો મુજબ, પ્રવાસીઓના 2 ટકા પ્રવાસીઓના RTPCR ટેસ્ટ અને તમામ પ્રવાસીઓનું (Corona test of tourists at airport) 100 ટકા થર્મલ સ્કેનિંગ કરવાનો હુકમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (covid guidelines health ministry) દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં સૌથી વધુ ટેસ્ટ કરાયા ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર અત્યાર સુધીમાં કુલ 76 RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 21 ટેસ્ટના પરિણામ હજી બાકી છે. જ્યારે બીજા તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉપરાંત સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Surat International Airport) ખાતે ગઈકાલે જ ફ્લાઈટ આવી છે, જેમાં 3ના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તે તમામના રિપોર્ટ પેન્ડિંગ છે.

કેન્દ્ર સરકાર પાસે જથ્થો મગાવાયો ગુજરાત સરકારના અધિક આરોગ્ય નિયામક નીલમ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે કોરોના ઓછો થયો હતો. તેને ધ્યાનમાં લઈને લોકોમાં રસી લેવાના ઉત્સાહ ઓછો જણાતો હતો, જેથી કેન્દ્ર સરકારે પણ રસીના (Covid Vaccination in Gujarat) સપ્લાય ઓછો કર્યો હતો અને અમારી પાસે જેટલો રસીનો જથ્થો હતો. તે અમે રસીનો જથ્થો લોકોને રસીકરણમાં ઉપયોગ કર્યો છે, પરંતુ હવે જે રીતે લોકોમાં ફરીથી રસી લેવાનો ક્રેઝ ઊભો થયો છે. ત્યારે અમે (Corona test of tourists at airport)કેન્દ્ર સરકાર પાસેથી વધારાની રસીનો જથ્થો મગાવ્યો છે અને નવો જથ્થો આવ્યા બાદ અમે ઝૂંબેશના ભાગરૂપે ગુજરાતમાં ફ્રિકવશન ડોઝની ઝૂંબેશ હાથ ધરીશું.

સચિવાલયમાં માસ્ક ફરજિયાત કરાયું કોરોનાની સાવચેતીના ભાગરૂપે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ માસ્ક પહેરવા માટેની અપીલ કરી હતી. ત્યારે આજે (સોમવારે) સચિવાલય ખૂલતાની સાથે જ લોકો પોતાની રજૂઆત કરવા પ્રધાનોને મળવા આવી રહ્યા છે. ત્યારે સચિવાલયમાં પણ (Without mask no entry at sachivalay) માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ મુલાકાતી માસ્ક પહેર્યા વગર આવે તો જેતે પ્રધાનોની કાર્યાલયમાંથી માસ્ક આપવામાં આવે છે. આમ, સચિવાલયમાં પણ માસ્ક ફરજિયાત કરાયું છે જ્યારે આજે તમામ પ્રધાનો માસ્કમાં જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.