ETV Bharat / state

Corona Update in Gujarat :24 કલાકમાં 6097 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 12,105 દર્દીઓ કોરોનાને માત આપી, 35 દર્દીના મૃત્યુ

author img

By

Published : Feb 4, 2022, 9:21 PM IST

Corona Update in Gujarat :24 કલાકમાં 6097 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 12,105 દર્દીઓ કોરોનાને માત આપી, 35 દર્દીના મૃત્યુ
Corona Update in Gujarat :24 કલાકમાં 6097 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 12,105 દર્દીઓ કોરોનાને માત આપી, 35 દર્દીના મૃત્યુ

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાણો આજના તમામ (Corona Update in Gujarat ) આંકડા.

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો(Corona cases in Gujarat ) છે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે ૨૫ હજારની આસપાસ પોઝિટિવ નો આંકડો જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફેબ્રુઆરીની 4 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6097 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 12,105 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 345 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 08 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે રાજકોટ 01 બરોડામાં 04, ગાંધીનગર 02, સુરતમાં 01, જામનગર 01, ભાવનગર કોર્પોરેશનમાં 3 મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચોઃ Vax Drive in India: અત્યાર સુધી કોરોના સંક્રમિત ન થયા હોય તેવા લોકોને પહેલા રસી આપોઃ AIIMS પ્રોફેસર

અમદાવાદમાં કોરોના કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર (Gujarat Health Department )પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 1985 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 204 , બરોડા શહેરમાં 1215 અને રાજકોટમાં 237 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 12,105 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજે 3,34,350 નાગરિકોને રસીકરણ થયું આજ રોજ 4 ફેબ્રુઆરી ના રોજ રાજ્યમાં કુલ 3,34,350 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 18 થી 45 વર્ષ વયના 22,653 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 52,725 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 13,448 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 91,303, બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 35,487 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ 9,92,77,461 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 57,521

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 57,521 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 248 વેન્ટિલેટર પર અને 57,273 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,614 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,23,499 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 94.28 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ Corona Update in Gujarat : કેસ ઘટ્યાં મોત વધ્યાં, 24 કલાકમાં 34 દર્દીના મૃત્યુ અને 7606 પોઝિટિવ કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.