ETV Bharat / state

Corona Update in Gujarat : 24 કલાકમાં 4710 પોઝિટિવ કેસ નોંધાયા, 34 દર્દીના મૃત્યુ

author img

By

Published : Feb 5, 2022, 8:58 PM IST

Corona Update in Gujarat : 24 કલાકમાં 4710 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 11,184 દર્દીઓ કોરોનાને માત આપી, 34 દર્દીના મૃત્યુ
Corona Update in Gujarat : 24 કલાકમાં 4710 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 11,184 દર્દીઓ કોરોનાને માત આપી, 34 દર્દીના મૃત્યુ

રાજ્યમાં કોરોના કેસમાં ધીમે(Corona Update in Gujarat ) ધીમે ઘટાડો આવી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં 710 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 11,184 દર્દીઓ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. આજે રાજ્યમાં 34 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે ૨૫ હજારની આસપાસ પોઝિટિવનો આંકડો જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો( Gujarat Health Department )જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફેબ્રુઆરીની 5 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,710 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11,184 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 34 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 07 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજકોટ 01 બરોડામાં 04, ગાંધીનગર 01, સુરતમાં 04, જામનગર 03, ભાવનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં કોરોના કેસ ઘટ્યાં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં( Corona cases in Gujarat)છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 4,710 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 174 , બરોડા શહેરમાં 781 અને રાજકોટમાં 137 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 11,184 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Corona Update : અમદાવાદ જિલ્લામાં કેવી છે કોરોનાની સ્થિતિ ?

આજે 2,71,887 નાગરિકોને રસીકરણ થયું

આજ રોજ 5 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 2,71,887 નાગરિકોને વેક્સિન (Corona vaccination in Gujarat)આપવામાં આવી છે. જ્યારે 18 થી 45 વર્ષ થી વયના 19,290 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 59,585 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 21,521 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 1,33,024 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 25,715 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,95,49,348 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 51,013

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 51,013 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 236 વેન્ટિલેટર પર અને 50777 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,648 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,34,683 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 94.85 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Corona Case In Banaskantha: ડીસામાં ધોરણ 10 અને 12ના 10 વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.