ETV Bharat / state

Corona cases in Gujarat:રાજ્યમાં આજે કોરોનાના 8,338 કેસ નોંધાયા, 38 દર્દીઓના મોત

author img

By

Published : Feb 1, 2022, 8:42 PM IST

ગુજરાતમાં આજે કોરોનાના 8,338 કેસ (Corona Cases In Gujarat) નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 38 દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોનાના કેસોની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો 16,629 છે જે સારા સંકેત આપી રહ્યો છે.

Corona cases in Gujarat:રાજ્યમાં આજે કોરોનાના 8,338 કેસ નોંધાયા, 38 દર્દીઓના મોત
Corona cases in Gujarat:રાજ્યમાં આજે કોરોનાના 8,338 કેસ નોંધાયા, 38 દર્દીઓના મોત

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના(Corona Cases In Gujarat) એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટીવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે 25 હજારની આસપાસ પોઝિટીવનો આંકડો જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ફેબ્રુઆરીની 1 તારીખે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,338 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 16,629 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 38 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. અમદાવાદમાં 08 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે રાજકોટ 04 બરોડામાં 03, સુરતમાં 03, જામનગર 02, ભાવનગર કોર્પોરેશનમાં 1 અને ભાવનગર ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા (Gujarat Health Department )બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 2654 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 475 , બરોડા શહેરમાં 1712 અને રાજકોટમાં કેસ નોંધાયા છે. જ્યારે કુલ 16,629 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 4,49,165 નાગરિકોને રસીકરણ થયું

1 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 4,49,165 નાગરિકોને વેક્સિન (Corona vaccination in Gujarat)આપવામાં આવી છે. 18 થી 45 વર્ષ થી વયના 30,142 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 94,184 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 36643 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 2,05,480 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 52,684 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,83,82,401 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ India VS West Indies: વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી

રાજ્યમાં એક્ટિવ કેસ 75,464

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 75,464 જેટલા એક્ટિવ કેસ છે. 229 વેન્ટિલેટર પર અને 75,235 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,511 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,83, 022 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 92.65 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ India Corona Update : દેશમાં 24 કલાકમાં 2.10 લાખ નવા કેસ, 959 મોત નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.