ETV Bharat / state

ગાંધીનગરમાં ભારતમાતાના મંદિરની માલિકી માટે VHP અને AHPનાં કાર્યકરો વચ્ચે બબાલ

author img

By

Published : Sep 1, 2019, 8:32 PM IST

ગાંધીનગરમાં ભારતમાતાના મંદિરની માલિકી માટે VHP અને AHPનાં કાર્યકરો વચ્ચે બબાલ

ગાંધીનગરઃ સેક્ટર 7માં આવેલા ભારતમાતા મંદિરની માલિકી મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ વચ્ચે આજે ઘમાસણ થયું હતું. ઘર્ષણ વધે નહીં તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સેક્ટર 7માં આવેલા ભારતમાતાના મંદિર માટે 1988મા વિશ્વ હિન્દૂ પરિષદને જમીન ફળવાય હતી. 2017 પછી ભારતમાતા મંદિર વિશ્વ હિન્દુ પરિષદ ઉતર ગુજરાત પ્રાંત ટ્રસ્ટ દ્રારા બનાવાયું હતુ. 1988મા જ્યારે આ જમીન વીએચપીને ફાળવવાંમા આવી ત્યારે ટ્રસ્ટી પ્રવીણ તોગડીયા હતાં. હવે પ્રવીણ તોગડીયાના સંગઠન એએચપીનો દાવો કર્યો છે કે, તેમનો આ મંદીર પર હકક હિસ્સો છે. તો બીજી બાજુ વીએચપી કહે છે કે વીએચપીને સરકાર દ્રારા ધાર્મિક હેતુ માટે આ જમીન ફાળવી હતી. જેથી તેનાં પર તેનો હક્ક છે.

ગાંધીનગર શહેરના સેક્ટર 7માં આવેલા ભારત માતા મંદિરે પણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગણેશ સ્થાપન કરવાના છેય. જેથી રવિવારે સવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ગણેશ મહોત્સવની તૈયારીના ભાગરૂપે મંદિર ખાતે પહોંચ્યા હતા. તે સમયે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને આ મંદિર ઉપર તેમનો હક્ક હોવાનો દાવો કર્યો હતો. આટલુ કહેતો મામલો બગડ્યો હતો. વીએચપી અને એએચપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને કારણે તાત્કાલિક પોલીસ પણ બોલાવી લેવાઈ હતી. આ જમીન કે મંદીર કોઈ વ્યક્તિને નહીં પણ ટ્રસ્ટને મળ્યું હતુ. જેથી ટ્રસ્ટી તરીકે પ્રવીણ તોગડીયા સંગઠનમા ન રહેતાં આ જમીન પર તેમનો વ્યક્તિગત હક્ક નથી. હવે આ જમીન અને મંદીર પર વીએચપીનો હક્ક હિસ્સો છે.

ગાંધીનગરમાં ભારતમાતાના મંદિરની માલિકી માટે VHP અને AHPનાં કાર્યકરો વચ્ચે બબાલ

આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી અશોકભાઇ રાવલે કહ્યું હતું કે, સેક્ટર 7 માં આવેલું ભારતમાતા મંદિર વિશ્વ હિન્દુ પરિષદની માલિકીનું છે. સોમવારથી ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરુપે કામગીરી ચાલી હતી. તે સમયે એએચપીના કેટલાક લોકો આવીને માલિકી હક જતાવી રહ્યા હતા. 1988માં ગુજરાત સરકાર દ્વારા ઠરાવ કરીને આપવામાં આવ્યું હતું. તે સમયે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જન્મ પણ થયો હતો. આ ઉપરાંત ચેરિટી કમિશ્નર દ્વારા આ સંગઠનને રદ કરાયું છે જેથી મંદિર ઉપર વીએચપીનો હક્ક છે.


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાજેશભાઈ પટેલે કહ્યુ કે, આ ટ્રસ્ટ વીએચપીના નામનું છે. એએચપી અને વીએચપી કાર્યકરો ટ્રસ્ટી તરીકે કામગીરી કરી રહ્યા છે. પરંતુ આજે વીએચપીના અશોક રાવલ સહિતના કાર્યકરો મંદિરમાં ગેરકાયદેસર રીતે ઘુસી આવ્યા હતાં. વર્ષ 2017માં ચેરિટી કમિશ્નર દ્વારા અમારા ટ્રસ્ટને માન્યતા આપી હતી. મંદિર પર અમારો અધિકાર છે.


Intro:હેડલાઈન) ભારતમાતા મંદિરની માલિકી મુદ્દે વીએચપી અને કાર્યકર્તાઓ વચ્ચે ધમાસાણ

ગાંધીનગર,

ગાંધીનગર શહેરના સેક્ટર 7 માં આવેલા ભારત માતા મંદિરની માલિકી મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ વચ્ચે આજે ધમાસણ થયું હતું.1988મા વિશ્વ હિન્દૂ પરિષદને જમીન ફાળવવામાં આવી હતી. જયા 2017 બાદભારત માતા મંદીર વિશ્વ હિન્દૂ પરિષદ ઉતર ગુજરાત પ્રાંત ટ્રસ્ટ દ્રારા બનાવવામાં બનાવવામાં આવ્યુ હતુ. 1988મા જ્યારે આ જમીન વીએચપીને ફાળવવાંમા આવી હતી. ત્યારે ટ્રસ્ટી પ્રવીણ તોગડીયા હતાં. હવે પ્રવીણ તોગડીયાન સંગઠન એએચપીનો દાવો છે કે, તેમનો આ મંદીર પર હકક હિસ્સો છે. જ્યારે વીએચપી કહે છે કે વીએચપીને સરકાર દ્રારા ધાર્મિક હેતુ મામલે આ જમીન ફાળવી હતી..જેથી તેનાં તેનાં પર તેનો હક્ક હિસ્સો છે.Body:ગાંધીનગર શહેરના સેક્ટર 7માં આવેલા ભારત માતા મંદિરે પણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવનાર છે. જેને લઇને આજે સવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ગણેશ મહોત્સવની તૈયારીના ભાગરૂપે મંદિર ખાતે પહોંચ્યા હતા. તે સમયે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને આ મંદિર ઉપર અમારો હક છે. તેમ કહીને વીએચપી અને એએચપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને લઇને તાત્કાલિક પોલીસ પણ બોલાવી લેવામાં આવી હતી. આ જમીન કે મંદીર કોઈ વ્યક્તિને નહીં પણ ટ્રસ્ટને મળ્યું હતુ. જેથી વ્યક્તિ હવે પ્રવીણ તોગડીયા સંગઠનમા ન રહેતાં આ જમીન પર તેમનો હક્ક નથી. હવે આ જમીન મંદીર પર વીએચપીનો હક્ક હિસ્સો છે.Conclusion:વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી અશોકભાઇ રાવલે કહ્યું કે, સેક્ટર 7 માં આવેલું ભારતમાતા મંદિર વિશ્વ હિન્દુ પરિષદની માલિકીનું છે. આવતીકાલથી ગણેશ મહોત્સવ શરૂ થાય છે ત્યારે અમારા દ્વારા તેની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે તે એસપીજીના કેટલાક લોકો આવીને માલિકી હક જતાવી રહ્યા હતા. 1988માં ગુજરાત સરકાર દ્વારા ઠરાવ કરીને આપવામાં આવ્યું હતું. તે સમયે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જન્મ પણ થયો હતો. ત્યારે એએચપી દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે ચેરિટી કમિશનર દ્વારા પણ તેમના સંગઠનને રદ કરી નાખવામાં આવ્યું છે ત્યારે આ મંદિર ઉપર વીએચપીનો જ હક્ક છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાજેશભાઈ પટેલે કહ્યુ કે, આ ટ્રસ્ટ વીએચપીના નામનું છે. જ્યારે એએચપી અને વીએચપી કાર્યકરો ટ્રસ્ટી તરીકે કામગીરી કરી રહ્યા છે. પરંતુ આજે વીએચપીના અશોક રાવલ સહિતના કાર્યકરો મંદિરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા હતા અને તેમણે કબજો મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2017માં ચેરિટી કમિશનર દ્વારા અમારા ટ્રસ્ટને માન્યતા આપવામાં આવી હતી જેને કમિશનરે રદ કરી નાખી છે. ત્યારે ક્યાંક કમિશનર ખોટા હોઈ શકે છે. કારણ કે પ્રશ્ન તેમ જ માન્યતા આપી હતી ત્યારે આ મંદિર ઉપર અમારો હક છે.

અશોકભાઈ રાવલ વીએચપી પીળો ઝભ્ભો પહેર્યો છે તે

રાજેશભાઈ પટેલ એએચપી કાર્યકર્તા Green શર્ટ પહેર્યો છે તે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.