અનેક આફતોમાં અડીખમ એવું દ્વારકાધીશનું મંદિર, જાણો દંતકથાઓમાં મંદિરનો ઈતિહાસ…

author img

By

Published : Jul 19, 2021, 4:03 PM IST

અનેક આફતોમાં અડીખમ એવું દ્વારકાધીશનું મંદિર

દંતકથાઓ મુજબ, આ મંદિર શ્રીકૃષ્ણના રહેણાંક સ્થળ પર તેમના પ્રપૌત્ર વજ્રનાભ દ્વારા બનાવવામાં આવ્યું છે. મંદિરના મૂળ માળખાને મહંદ બેગડાએ 1472માં ધ્વંસ કર્યું હતું, જ્યારબાદ 15મી અથવા તો 16મી સદીમાં પુન: બનાવાયું હતું. દ્વારકાધીશ મંદિર ઉપમહાદ્વીપ પર ભગવાન વિષ્ણુનું 98મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. મંદિર 12.19 મીટર ઉંચાઈ ધરાવે છે. એવું અનુમાન કરવામાં આવે છે કે, આ મંદિરનું સ્થાન 2,500 વર્ષ જૂનું છે.

  • દ્વારકાધીશનું જગત મંદિર કોણે બનાવ્યું હતું, જાણો જગત મંદિરનો ઈતિહાસ
  • દ્વારકાધીશ મંદિર અઢી હજાર વર્ષ જૂનું, અનેક વખત આફતોમાં રહ્યું અડીખમ
  • દ્વારકાધીશ મંદિરમાં ચઢાવવામાં આવતી ધ્વજાનું મહત્વ, જાણો આ અહેવાલમાં

દ્વારકા : ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદીરમાં શ્રીકૃષ્ણને દ્વારકાધીશ એટલે કે દ્વારકાના રાજા તરીકે પૂજાય છે. જે ચારધામ કરીકે ઓળખાતા હિન્દુ તિર્થયાત્રાના તિર્થોમાંનું એક છે. 5 માળના આ મંદિરની રચના 72 થાંભલાઓ પર કરવામાં આવી છે. આ મંદિર જગત મંદિર તેમજ નિજા મંદિરના નામથી પણ ઓળખાય છે. પુરાતત્વીય તારણો સૂચવે છે કે, આ મંદિરની રચના અંદાજે 2,200 વર્ષ પહેલા કરવામાં આવી છે અને 15મી અથવા તો 16મી સદીમાં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન

એક સ્મારક આદિ શંકરાચાર્યની મુલાકાતને સમર્પિત

મંદિર ભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. 8મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની આદિ શંકરાચાર્યે આ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે કુલ 4 સ્થળોની મુલાકાત લીધી હતી. જેને પવિત્ર ચારધામ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાર સ્થળોમાં અન્ય ત્રણ સ્થળો રામેશ્વરમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા. આજે પણ મંદિરમાં એક સ્મારક આદિ શંકરાચાર્યની મુલાકાતને સમર્પિત છે.

અનેક આફતોમાં અડીખમ એવું દ્વારકાધીશનું મંદિર

દુર્વાસા ઋષિના શ્રાપથી રૂકમણિ મંદિરનું નિર્માણ થયું

હિન્દુ દંતકથા મુજબ, દ્વારકાને શ્રીકૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. દુર્વાસા ઋષિ એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, શ્રીકૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રીકૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા ગંગા નદીને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો - દ્વારકાધીશ મંદિરે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઇ જાણો શું છે ખાસ કાર્યકમ...

દરિયાકાંઠાના ધોવાણથી પ્રાચીન બંદર શહેરનો વિનાશ

ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે, જે સદીઓ પૂર્વેનો છે અને મહાભારત મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કરાયો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. મસમોટા શિલાલેખો જે રીતે બનાવવામાં આવ્યા હતા, તે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા અને અહીં વપરાયલા લંગરો પુરાવા દર્શાવે છે કે, આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતી વખતે મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે છે. દરિયા કાંઠાના ધોવાણથી આ પ્રાચીન બંદર શહેરનો વિનાશ થયું હોવાનું માનવામાં આવે છે.

અનેક આફતોમાં અડીખમ એવું દ્વારકાધીશનું મંદિર
અનેક આફતોમાં અડીખમ એવું દ્વારકાધીશનું મંદિર

મંદિરના બે દરવાજાઓ, એક મોક્ષ તરફ અને બીજો સ્વર્ગ તરફ લઈ જાય છે

વર્તમાન મંદિરનું નિર્માણ 15મી અથવા તો 16મી સદી દરમિયાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર 27 મીટર લંબાઈ 21 મીટર પહોળાઈ ધરાવે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 29 મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 23 મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર 51.8 મીટર છે. 72 થાંભલાઓ પર બાંધવામાં આવેલું આ મંદિર 5 માળની રચના ધરાવે છે. કેટલાક પૌરાણિક લેખોમાં આ મંદિર 60 થાંભલાવાળા રેતીના પત્થરના મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે. મંદિરમાં સભાખંડ અથવા પ્રેક્ષક ખંડ છે. મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. એક મુખ્ય પ્રવેશદ્વાર છે, જેને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે. તેનો અર્થ મુક્તિનો દ્વાર થાય છે અને બહાર નીકળવાનો દરવાજો સ્વર્ગ દ્વાર તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો - કોરોના ઇફેક્ટ : લોકડાઉન બાદ દ્વારકાધીશ મંદિરની આવકમાં 70 ટકાનો ઘટાડો

મંદિરમાં મૂર્તિઓનું મહાત્મ્ય

ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે. જે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. ડાબી બાજુના ઓરડા પર કૃષ્ણના મોટા ભાઈ બલરામ છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની ડેરીઓમાં રાધા, રૂકમણી, જાંબાવતી, સત્યભામા, લક્ષ્મી, શ્રીકૃષ્ણના માતા દેવકી, માધવ રાવજી સહિતની મૂર્તિઓ છે.

દિવસમાં પાંચ વખત ચઢાવવામાં આવે છે ધ્વજા

મંદિરના ઊંચાઈ 78 મીટર છે અને તેના પર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે. ત્રિકોણાકાર આકારનો ધ્વજ 50 ફૂટ (15 મીટર) લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.