ETV Bharat / state

Dwarka Temple Closed : દ્વારકાધીશ જગત મંદિર બંધ કરવાના નિર્ણય સામે વિવિધ સંસ્થાઓ તેમજ વેપારી દ્વારા અપાયું આવેદન પત્ર

author img

By

Published : Jan 18, 2022, 8:19 AM IST

Dwarka Temple Closed : દ્વારકાધીશ જગત મંદિર બંધ કરવાના નિર્ણય સામે વિવિધ સંસ્થાઓ તેમજ વેપારી દ્વારા અપાયું આવેદન પત્ર
Dwarka Temple Closed : દ્વારકાધીશ જગત મંદિર બંધ કરવાના નિર્ણય સામે વિવિધ સંસ્થાઓ તેમજ વેપારી દ્વારા અપાયું આવેદન પત્ર

દ્વારકાધીશના મંદિર બંધ (Dwarka Temple Closed) કરવાના નિર્ણય સામે દ્વારકાની વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદન પત્ર (Application Letter from Various Institutions of Dwarka) પાઠવા આવ્યું છે. દ્વારકાધીશ જગતમંદિરના વહીવટી તંત્ર દ્વારા અચાનક સાત દિવસ સુધી મંદિરને બંધ કરવાના નિર્ણય સામે વેપારી એસોસિયેશન, હોટેલ માલિકો તેમજ નાના વેપારીઓએ નારાજગી દર્શાવી છે.

દેવભૂમિ-દ્વારકા : રાજ્યમાં વધતા જતાં કોરોના કેસ સામે દ્વારકાધીશના મંદિર સાત દિવસ સુધી બંધ (Dwarka Temple Closed) કરવાના નિર્ણય સામે વેપારી એસોસિયેશન, હોટેલ માલિકો તેમજ નાના વેપારીઓએ નારાજગી દર્શાવી છે. આ ઉપરાંત દ્વારકામાં પૂનમનું પણ ઘણું મહત્વ (Poonam importance in Dwarka) હોય છે. દૂર દૂરથી ભક્તો પુનમ ભરવા માટે દ્વારકાધીશ મંદિરએ આવે છે, પરંતુ યાત્રિકોને દ્વારકાધીશના દર્શન (Darshan of Dwarkadhish) ના થયા અને તેઓને પરેશાની ભોગવવી પડી છે જેથી ભક્તોએ પણ નારાજગી જતાવી છે.

દ્વારકામાં ટૂરિસ્ટો પર રોજી રોટી

દેવભૂમિ-દ્વારકામાં મંદિર બંધને લઈને વેપારીઓનું આવેદન પત્ર

વેપારીઓ અને હોટલ (Hotel in Dwarka) માલિક જણાવ્યું કે, દ્વારકાધીશનું મંદિર પુનઃ કોવિડની ગાઇડ લાઇન (Dwarka Corona Guideline) મુજબ વહેલી તકે ખોલવામાં આવે. દ્વારકામાં કમાવા માટે બીજો કોઈ રસ્તો નથી. તેમનો ધંધો ટુરિસ્ટો (Tourists in Dwarka) પર નિર્ભર છે. જો મંદિર જ બંધ હોઈ તો ટુરિસ્ટો ક્યાંથી આવવાના આ જોઈને વેપારીઓનું કહેવુ છે કે દ્વારકામાં વેપાર ધંધા ટુરિસ્ટો પર આધારિત છે.

વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્યું

દ્વારકામાં મંદીના એંધાણ સર્જાય એ પેહલા જ આનો કોઈ ઉપાય સરકાર કરી આપે. તેથી દ્વારકાની વિવિધ સંસ્થાઓ દ્વારા દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર (Application letter from various institutions of Dwarka) પાઠવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Devbhoomi Dwarka Temple: દ્વારકાધીશને ધ્વજારોહણ માટે ભક્તોને 20ની સંખ્યામાં જ મંદિરમાં પ્રવેશ

આ પણ વાંચોઃ Dwarkadhish Temple Closed: કોરોનાની મહામારીના કારણે ભક્તો રહશે દ્વારકાધીશના દર્શનથી વંચિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.